જુઓ આજના 25 મહત્વના સમાચાર

બનાસકાંઠાના 13 તાલુકા અને પાટણના બે તાલુકા એમ કુલ ૧૫ તાલુકાઓમાં રાજસ્થાન પાકિસ્તાન તરફથી તીડનું આક્રમણ થયું હતું. જેના કારણે આ વિસ્તારમાં ૨૫ હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તીડના આક્રમણથી નુકસાન પામેલા ખેડૂતોને સહાયતા કરવી જોઇએ તેવી અવારનવાર માગણી નો ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને માંગણી કરી હતી.

Trending news