જામનગરમાં ઉત્તરાયણ પહેલાના રવિવારે ઊંધિયું અને જલેબીનું ધૂમ વેચાણ

જામનગરમાં ઉતરાણના પર્વમાં લોકો પતંગ ચગાવવાની મોજ સાથે ઉંધીયુ અને ચિક્કીની ઝિયાફત પણ માણતા હોય છે ત્યારે જામનગર શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા ઉંધિયાની અવનવી વાનગીઓ અને ચિકીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પતંગ ચગાવતી વેળાએ લોકો છત અને અગાશી ધાબા પર હોય એવા સમયે ક્યાંકને ક્યાંક ઉંધીયું સહિતની અન્ય વાનગીઓ ખાવાની મોજ પણ માણતા હોય છે. હાલ જામનગરની બજારોમાં ઉંધીયું અને ચિકી તેમજ બોર જિંજરા સહિતની વસ્તુઓનું ભારે વેચાણ જોવા મળી રહ્યું છે.

Trending news