પાકિસ્તાનમાં બે સગીર હિન્દુ છોકરીઓનું અપહરણ કરી જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવાયું

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર વયની હિન્દુ બહેનોનું અપહરણ કરીને તેમને જબરદસ્તીથી ઈસ્લામ સ્વીકારવાની ફરજ પાડી લગ્ન કરાવવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે  પણ આ મામલાને ગંભીરતાથી લઈને પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે મામલાની જાણકારી માંગી છે. સ્વરાજે આ ઘટના અંગે મીડિયાના રિપોર્ટ્સને સંલગ્ન કરતા ટ્વિટ કરી કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસને આ મામલે રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. આ મામલે  અલ્પસંખ્યક સમુદાયે મોટાપાયે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું. 
પાકિસ્તાનમાં બે સગીર હિન્દુ છોકરીઓનું અપહરણ કરી જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવાયું

કરાંચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર વયની હિન્દુ બહેનોનું અપહરણ કરીને તેમને જબરદસ્તીથી ઈસ્લામ સ્વીકારવાની ફરજ પાડી લગ્ન કરાવવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે  પણ આ મામલાને ગંભીરતાથી લઈને પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે મામલાની જાણકારી માંગી છે. સ્વરાજે આ ઘટના અંગે મીડિયાના રિપોર્ટ્સને સંલગ્ન કરતા ટ્વિટ કરી કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસને આ મામલે રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. આ મામલે  અલ્પસંખ્યક સમુદાયે મોટાપાયે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું. 

અત્રે જણાવવાનું કે હોળીની પૂર્વ સંખ્યા પર 13 વર્ષની રવીના અને 15 વર્ષની રીનાનું 'પ્રભાવશાળી' લોકોના એક સમૂહે ઘોટી જિલ્લા સ્થિત તેમના ઘરેથી અપહરણ કરી લીધુ હતું. અપહરણ બાદ એક વીડિયો વાઈરલ થયો જેમાં મૌલવી બંને યુવતીઓના નિકાહ કરાવતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં છોકરીઓ ઈસ્લામ અપનાવવાનો દાવો કરતી કહે છે કે તેમની સાથે કોઈએ જબરદસ્તી કરી નથી. 

પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયે ઘટના વિરુદ્ધ વ્યાપક સ્તર પર પ્રદર્શન કરીને આ મામલે દોષિતો સામે કઠોર કાર્યવાહીની માગણી કરી છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને દેશના અલ્પસંખ્યકોને આપેલા વચનની યાદ અપાવી. પાકિસ્તાન હિન્દુ સેવા વેલફેર ટ્રેસ્ટના અધ્યક્ષ સંજય ધનજાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આ મામલાને ગંભીર લઈ  પાકિસ્તાનમાં પણ તમામ અલ્પસંખ્યક ખરેખર સુરક્ષિત છે તે સાબિત કરવાની માગણી કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news