આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો

Predictions About 2023: નાસ્ત્રેદમસે મંગળ ગ્રહને લઈને ભવિષ્યવાણી કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે મંગળ ગ્રહ પર પ્રકાશ પડી રહ્યો છે, જેને લઇને કેટલાક લોકોનું માનવુ છે કે નાસ્ત્રેદમસે મંગળ ગ્રહ પર માણસના પહોંચવાની ભવિષ્યવાણી કરી છે, જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે મંગળ પર પહોચવા સબંધિત મિશનને સફળતા મળી શકે છે.

આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો

Nostradamus Top Predictions About 2023: વર્ષ 2023ના નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. નવા વર્ષમાં નવા કામમાં લોકો વ્યસ્ત પણ થઈ ગયા છે. ત્યારે આ નવા વર્ષમાં ફ્રાંસના ભવિષ્યકર્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે. ફ્રાંસના ભવિષ્યવક્તા માઇકલ દિ નાસ્ત્રેદમસએ દુનિયાને લઇને કેટલીક ભવિષ્યવાણી કરી હતી જેમાં મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. નાસ્ત્રેદમસે 2023ને લઇને પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરી છે જેને લઈને લોકોના મનમાં ડર અને આશંકા છે. આવી જ કેટલીક ભવિષ્યવાણીઓ વિશે આપણે વાત કરીએ. 

આ પણ ખાસ વાંચોઃ

મંગળ પર પહોંચશે માણસ:
નાસ્ત્રેદમસે મંગળ ગ્રહને લઈને ભવિષ્યવાણી કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે મંગળ ગ્રહ પર પ્રકાશ પડી રહ્યો છે, જેને લઇને કેટલાક લોકોનું માનવુ છે કે નાસ્ત્રેદમસે મંગળ ગ્રહ પર માણસના પહોંચવાની ભવિષ્યવાણી કરી છે, જ્યારે કેટલાક લોકોનું માનવુ છે કે મંગળ પર પહોચવા સબંધિત મિશનને સફળતા મળી શકે છે.

વર્ષ 2023માં થશે મહાયુદ્ધ?
ફ્રાંસના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે વર્ષ 2023માં મહાયુદ્ધ થવાની ભવિષ્યવાણી કરી છે. એવામાં કેટલાક લોકોનું માનવુ છે કે યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ આવનારા સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધના રૂપમાં પરિવર્તિત થશે. નાસ્ત્રેદમસ અનુસાર, 2023માં આ યુદ્ધ 7 મહિના સુધી ચાલશે, જે લોકોએ પણ ખરાબ કામ કર્યા છે તેમનું મોત થશે. જો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થઇ તો દેશ-દુનિયામાં હાહાકાર મચી જશે.

દેશ-દુનિયા પર મંડરાશે આર્થિક સંકટ:
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2023માં ત્રીજુ વિશ્વયુદ્ધ થવાથી દેશ-દુનિયામાં આર્થિક સંકટનો સામનો કરવો પડશે, જેના પરિણામ સ્વરૂપ ચારે તરફ ભોજનને લઇને ત્રાહિમામ મચશે. નાસ્ત્રેદમસે લખ્યુ હતું કે  ઘઉં એટલા ઉંચા ઉઠશે કે માણસ એક બીજાને ખાઇ જશે. આ ભવિષ્યવાણીને લોકો યૂક્રેન અને રશિયાના યુદ્ધ સાથે જોડીને જોઇ રહ્યા છે. રશિયા-યૂક્રેન યુદ્ધ પછી વિશ્વભરમાં ઘઉંની કમી છે.

આ પણ ખાસ વાંચોઃ

વર્ષ 2023માં આકાશમાંથી આગ વરસશે:
નાસ્ત્રેદમસે લખ્યુ છે, શાહી ભવન પર આકાશીય આગ. નાસ્ત્રેદમસ આ ભવિષ્યવાણી દ્વારા દુનિયાના ખતમ થવાનો ઈશારો કરી રહ્યા છે, તેમનું માનવુ છે કે આગ વરસતા આખી દુનિયા ખતમ થઇ જશે.

પોપ પર ભવિષ્યવાણી:
નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે પોપ બદલાઇ જશે. જો આમ થાય છે તો પોપ ફ્રાંસિસના સ્થાને કોઇ અન્ય નવુ આવશે. નાસ્ત્રેદમસે કહ્યુ કે પોપ ફ્રાંસિસ અંતિમ સાચા પોપ હશે, નવા પોપ ભ્રષ્ટાચાર કરશે.

ભયાનક પૂર સાથે અકાળ:
નાસ્ત્રેદમસે ગ્લોબલ વોર્મિંગને લઇને પણ ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસ અનુસાર વર્ષ 2023 પર્યાવરણના હિસાબથી સારો નહી હોય. ભવિષ્યવાણી અનુસાર ધરતી પહેલા સુકાશે અને તે બાદ ભયાનક પૂર જોવા મળશે. તે ભવિષ્યવાણીમાં લખે છે કે સૂર્ય ગરમ થશે અને માછલીઓ સેકાઇ જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ZEE 24 કલાક તેની કોઇ પૃષ્ટી કરતું નથી)

આ પણ ખાસ વાંચોઃ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news