Cardamom Farming: 2400 રૂપિયે કિલો સુધી વેચાય છે આ બોર જેવડો દાણો, આ રીતે ખેતી કરો બનો 'ધનવાન ખેડૂત'

Cardamom Farming: ઇલાયચી દરેક ઘરમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. આ ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. તેના લીધે તેની ડિમાન્ડ ખૂબ રહે છે. એવામાં ખેડૂતો ઇલાયચીની ખેતી કરી વધુ નફો કમાઇ શકે છે. 

Cardamom Farming: 2400 રૂપિયે કિલો સુધી વેચાય છે આ બોર જેવડો દાણો, આ રીતે ખેતી કરો બનો 'ધનવાન ખેડૂત'

Elaichi ki kheti: ખેડૂતો ઓછા ખર્ચમાં વધુ નફો કમાવવા માંગો છો. પરંતુ જાણકારી ન હોવાના કારણે મોટાભાગના ખેડૂતો કંફ્યૂઝ રહે છે. જો તમે પણ ઓછા ખર્ચમાં વધુ નફો મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા મઍટે છે. આજે અમે તમને એવી ખેતી વિશે જણાવીશું, જેને કરીને તમે લાખોનો નફો કમાઇ શકો છો. 

ઇલાયચીની ખેતી
અમે વાત કરી રહ્યા છીએ ઇલાયચીની. ઇલાયચી એક એવી વસ્તુ છે, જે દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જશે. ઇલાયચીનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરવામાં આવે છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. 

ઇલાયચીની ડિમાંડ 
ઇલાયચીની ડિમાન્ડ વધુ હોવાની સાથે તેનું વેચાણ પણ ઉંચા ભાવમાં થાય છે. એવામાં ખેડૂતો ઇલાયચીની ખેતી કરી વધુ નફો થઇ શકે છે. ભારતમાં ઇલાયચીની ખેતી કેરલ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા વિસ્તારોમાં કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ઇલાયચીની ખેતી કરવા માટે ગરમ જળવાયુની જરૂર હોય છે. 

ચીકણી માટીનો ઉપયોગ
તેના માટે ચિકણી માટી સારી ગણવામાં આવે છે. ઇલાયચીની ખેતી દરમિયાન જળ નિકાસીની વ્યવસ્થા હોવી જરૂરી છે. જ્યારે પણ ઇલાયચીની ખેતી કરો, તો લેટેરાઇટ માટી અને કાળી માટીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ધ્યાન રહે કે રેતાળ માટી પર ઇલાયચીની ખેતી કરવાની નથી. તેનાથી પાકને નુકસાન થઇ શકે છે. 

વરસાદની સિઝન છે યોગ્ય
ઇલાયચીની છોડને સંપૂર્ણપણે તૈયાર થવામાં 3 થી 4 વર્ષનો સમય લાગે છે. તેની ખેતી તમે વરસાદની સિઝનમાં કરી શકો છો. જુલાઇ, ઓગસ્ટના મહિનામાં ઇલાયચીની ખેતી કરવી તમારા માટે ફાયદાકારક હોઇ શકે છે. કારણ કે આ સમયે વરસાદ થવાની સંભાવનાના લીધે સિંચાઇની ઓછી જરૂર પડે છે.

ખેડૂતોને થશે લાખોની કમાણી
ધ્યાનમાં રાખો કે અતિશય ગરમીને કારણે, તેની ઉપજ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે, તેથી એલચીના છોડને સંદિગ્ધ જગ્યાએ રોપવાનો પ્રયાસ કરો. એલચીની વાવણી કરતી વખતે ધ્યાન રાખો કે તેના છોડ વચ્ચે ઓછામાં ઓછું એકથી બે ફૂટનું અંતર હોવું જોઈએ. બજારમાં ઈલાયચીની ભારે માંગ છે, 2400 રૂપિયા પ્રતિ કિલો સુધીના ભાવ સાથે ઈલાયચી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખેડૂતો તેની ખેતી કરીને લાખોનો નફો મેળવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news