Saturday Special: શનિવારે કરેણના ફૂલથી કર્યો આ ઉપાય, પલટાઇ જશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન

Shaniwar Ke Upay: શનિવારનો દિવસ સૂર્ય પુત્ર શનિદેવને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક જો શનિદેવની પૂજા કરવામાં આવે, તો વ્યક્તિના જીવનના તમામ કષ્ટ દૂર થઇ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ શનિવારે ઘણા નાના નાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જે વ્યક્તિની કિસ્મત પલટી શકે છે. 

Saturday Special: શનિવારે કરેણના ફૂલથી કર્યો આ ઉપાય, પલટાઇ જશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન

Saturday Remedies: સનાતન ધર્મમાં અઠવાડિયા સાતેય દિવસ કોઇને કોઇ દેવી દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. એવામાં હાલમાં વિધિવિધાનથી કરવામાં આવેલી પૂજા શનિદેવને પ્રસન્ન કરે છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ ફળદાતાના નામથી ઓળખવામાં અવે છે. વ્યક્તિના સારા કર્મો અનુસાર તેમને શુભ અને અશુભ ફળોની પ્રાપ્તિ થાય છે.  

કુંડળીમાં શનિની શુભ સ્થિતિ વ્યક્તિને ધનવાન બનાવવામાં પણ મોડું કરે છે. પરંતુ બીજી તરફ જો તમારી કુંડળીમાં શનિની શુભ સ્થિતિ નથી અથવા પછી શનિદેવ તમારાથી નારાજ છે, તો વ્યક્તિને લાંબા સમય સુધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં શનિવારના દિવસે કરવામાં આવેલા નાના નાના ઉપાય વ્યક્તિ માટે લાભકારી સાબિત થઇ શકે છે. શાસ્ત્રોના અનુસાર શનિવારનો દિવસ શનિદેવની સાથે સૂર્ય પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં માન સન્માન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કરેણના ફૂલનો આ ઉપાય તમારી કિસ્મત ચમકાવી શકે છે. 

શનિવારના દિવસે કરો કરેણના ફૂલનો નાનકડો ઉપાય

- જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જો લગ્ન જીવનમાં મુશ્કેલી હોય અથવા પછી દાંમ્પત્ય જીવનમાં મિઠાશ ખતમ થતી જાય છે, તો શનિવારના દિવસે કરેણના ફૂલનો આ ઉપાય તમારા સંબંધોમાં મીઠાશ ફરીથી ભરી દેશે. તેના માટે શનિવારના દિવસે કરેણના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો. ત્યારબાદ કરેણના ઝાડના થડની આસપાસ લાલ કપડું લપેટી લો અને નાડાસળી બાંધો. આ ઉપાય કરવાની લગ્નજીવનમાં મીઠાશ આવે છે અને પહેલાંની માફક સંબંધ ફરીથી મજબૂત થવા લાગે છે. 

- જો ઘરમાં સુખ-સમૃદ્ધિ ન હોય અને વ્યક્તિના જીવનમાં દરરોજ સમસ્યાઓ આવતી હોય તો શનિવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને એક માટલું પાણી અર્પણ કરો. આ દરમિયાન વાસણમાં કરેણનું ફૂલ મૂકો. આનાથી શનિદેવની સાથે સૂર્યદેવ પણ પ્રસન્ન થશે. ઘરમાં નકારાત્મકતા નહીં આવે.

- આ સાથે એવું પણ કહેવાય છે કે કરેણના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે સૂર્ય ભગવાન અને શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો કરેણના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news