આ કંપનીના શેરની કિંમત અચાનક થઈ ગઈ ઝીરો, શેર બજારમાંથી થશે ડી-લિસ્ટ, ડૂબી ગયા રોકાણકારોના પૈસા

 મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ માટે હિન્દુજા સમૂહની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ તરફથી રજૂ 9650 કરોડ રૂપિયાની સમાધાન યોજનાને મંજૂરી આપી છે.

આ કંપનીના શેરની કિંમત અચાનક થઈ ગઈ ઝીરો, શેર બજારમાંથી થશે ડી-લિસ્ટ, ડૂબી ગયા રોકાણકારોના પૈસા

નવી દિલ્હીઃ દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (Reliance Capital Share)હવે હિન્દુજા ગ્રુપની થઈ ગઈ છે. પાછલા સપ્તાહે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)એ હિન્દુજા ગ્રુપની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL)ના 9650 કરોડ રૂપિયાના સમાધાન યોજનાની મંજૂરી આપી છે. ત્યારબાદ નવા માલિકે રિલાયન્સ કેપિટલ લિમિટેડને સ્ટોક માર્કેટથી ડી-લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તેનો અર્થ છે કે રિલાયન્સ કેપિટલના શેરનું ન તો ટ્રેડિંગ થઈ શકશે ન તો ઈન્વેસ્ટર શેર હોલ્ડ કરી શકશે. નોંધનીય છે કે કંપનીના શેરનું અંતિમ ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું. તેની કિંમત 11.90 રૂપિયા છે. 2008માં શેરની કિંમત 2700 રૂપિયાથી વધુ  હતી. વર્તમાનમાં આ શેર 99 ટકા તૂટી ગયો છે. 

શું છે વિગત
રિલાયન્સ કેપિટલે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું- કંપનીના ઇક્વિટી શેરધારકનું લિક્વિડેશન મૂલ્ય શૂન્ય છે અને તેથી, ઇક્વિટી શેરધારક કોઈપણ ચુકવણી મેળવવા માટે હકદાર રહેશે નહીં. તે જ સમયે, રિલાયન્સ કેપિટલના કોઈપણ શેરધારકને કોઈ ઓફર કરવામાં આવશે નહીં. જો આપણે સરળ ભાષામાં સમજીએ તો, રિલાયન્સ કેપિટલના ડી-લિસ્ટિંગ પછી, ઇક્વિટી શેરધારકોને કોઈ ચુકવણી નહીં મળે.

પાછલા મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ માટે હિન્દુજા સમૂહની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ તરફથી રજૂ 9650 કરોડ રૂપિયાની સમાધાન યોજનાને મંજૂરી આપી છે. આમાં, ધિરાણકર્તાઓએ બાકીના 63 ટકાનું નુકસાન સહન કરવું પડશે. કંપની વિરુદ્ધ કરવામાં આવેલા 38,526.42 કરોડ રૂપિયાના કુલ દાવામાંથી માત્ર 26,086.75  કરોડ રૂપિયાના દાવાને ટ્રિબ્યુનલે સ્વીકાર કર્યા છે. બોલી પ્રક્રિયામાં વિજેતા જાહેર કરવામાં આવેલા આઈઆઈએચએલે સ્વીકૃત દાવાના માત્ર 37 ટકા એટલે કે 9661 કરોડ રૂપિયા ચુકવવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેનો અર્થ છે કે ધિરાણકર્તાઓએ પોતાના બાકી દાવાના 63 ટકા મળશે નહીં. 

2021થી પ્રક્રિયા શરૂ
ભારતીય રિઝર્વ બેન્કે નવેમ્બર 2021માં અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયન્સ કેપિટલના ડાયરેક્ટર મંડળને વહીવટી સમસ્યાઓ અને ચૂકવણીમાં ડિફોલ્ટ્સને કારણે બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સેન્ટ્રલ બેન્કે નાગેશ્વર રાવને વહીવટદાર નિયુક્ત કર્યા હતા. કંપની હસ્તગત કરવા માટે ફેબ્રુઆરી 2022માં બિડ આમંત્રિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે રિલાયન્ક કેપિટલ પર 38000 કરોડથી વધુનું દેવું હતું અને ચાર અરજદારોએ શરૂઆતમાં રિઝોલ્યુશન પ્લાન માટે બિડ કરી હતી.  જો કે, લેણદારોની સમિતિએ નીચી બિડ કિંમતને કારણે તેમને નકારી કાઢ્યા હતા અને હરાજીના બીજા રાઉન્ડનું આયોજન કર્યું હતું જેમાં IIHL અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે ભાગ લીધો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news