નવરાત્રિમાં ઘરેબેઠા કરો માતા વૈષ્ણો દેવીના Live દર્શન, બેંકે લોન્ચ કરી એપ

એચડીએફસી બેંકની માયપ્રેયર એપ દ્વારા ભક્તો ઓનલાઈન દર્શન અને આરતી જોઈ શકે છે, દાન કરી શકે છે, અને સરળતાથી પ્રસાદને પોતાના ઘરે મેળવી શકે છે.

નવરાત્રિમાં ઘરેબેઠા કરો માતા વૈષ્ણો દેવીના Live દર્શન, બેંકે લોન્ચ કરી એપ

નવી દિલ્હી: શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે તેની પ્રથમ પહેલના ભાગરૂપે એચડીએફસી બેંક દ્વારા સંચાલિત પોતાની એપ્લિકેશન શરૂ કરી છે. એચડીએફસી બેંકની માયપ્રેયર એપ દ્વારા ભક્તો ઓનલાઈન દર્શન અને આરતી જોઈ શકે છે, દાન કરી શકે છે, અને સરળતાથી પ્રસાદને પોતાના ઘરે મેળવી શકે છે.

'માતાવૈષ્ણોદેવી' એપ્લિકેશન તરીકે જાણીતી છે, તેને ખાસ તહેવાર ને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આનાથી લાખો શ્રદ્ધાળુઓને લાભ થશે જેઓ પરંપરાગત રીતે આ મંદિરની મુલાકાત લે છે પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે મુસાફરી પરના પ્રતિબંધોને કારણે આ વર્ષે તે કરવામાં અસમર્થ રહેશે.

આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે અને વૈષ્ણો દેવી મંદિર માટે સંપૂર્ણ રીતે કસ્ટમાઇઝ કરવામાં આવી છે. #myPrayer એપ્લિકેશન એ બેંકની #myApps શ્રેણીનો એક ભાગ છે. આ એપ્લિકેશનનું ડિજિટલ ઉદ્દઘાટન મનોજ સિન્હા, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, જે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ પણ છે.    

એચડીએફસી બેંકના, સરકાર અને સંસ્થાકીય વ્યવસાય, ઈ-કોમર્સ અને સ્ટાર્ટ-અપ્સના કન્ટ્રી હેડ સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે,  #DigitalIndia મિશનની અનુરૂપ, એચડીએફસી બેન્કના માયએપ્સ ગ્રુપના પ્રોડક્ટ્સ અમારા સંસ્થાકીય ગ્રાહકો સાથે સુવિધા, રાહત અને વધારાની ડિજિટલ સેવા પૂરી પાડવા માટે રચાયેલ છે જેની ખાતરી કરવા માટે કે તેઓ તેમની સેવાઓ વધારી રહ્યા છે. અમારું માનવું છે કે આ દેશની સૌથી રિમોટ અને ભૌગોલિક રીતે પડકારરૂપ ક્ષેત્રોમાં આપણી સેવાઓનો વિસ્તાર કરવા બેન્કિંગથી આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરે છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news