ATMમાંથી નથી નીકળી કેશ અને ખાતામાંથી કપાઈ ગયા છે રૂપિયા, 24 કલાક પહેલાં કરો આ કામ

ઘણી વખત એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે રોકડ બહાર આવતી નથી, પરંતુ ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં જણાવેલ પદ્ધતિઓ અજમાવી જુઓ...

ATMમાંથી નથી નીકળી કેશ અને ખાતામાંથી  કપાઈ ગયા છે રૂપિયા, 24 કલાક પહેલાં કરો આ કામ

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટના ટ્રેન્ડમાં ઝડપથી વધારો થવાને કારણે આજે મોટાભાગના લોકો કેશલેસ રહેવાનું પસંદ કરે છે. પરંતુ હજુ પણ ક્યારેક રોકડની જરૂર પડે છે. જેના કારણે લોકો ATM દ્વારા ટ્રાન્ઝેક્શન કરે છે. રોકડ ઉપાડવાની આ સૌથી સરળ રીત છે. જો કે ATM  ખૂબ જ સુવિધાજનક છે, પરંતુ ક્યારેક તે તમને મુશ્કેલીમાં પણ મૂકે છે. ઠગ ક્લોન્સ બનાવીને ATM ને છેતરે છે, આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.

આ સિવાય કેટલીકવાર ATMમાંથી પૈસા ઉપાડતી વખતે કેશ નીકળતી નથી, પરંતુ ખાતામાંથી તમારા પૈસા કપાઈ જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈક થાય તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં જણાવેલી કેટલીક પદ્ધતિઓ અજમાવી જુઓ, તમારી કપાયેલી રકમ થોડા દિવસોમાં પરત કરવામાં આવશે.

SMS દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે
ઘણી વખત ટેક્નિકલ ખામીના કારણે એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવતા નથી. ATM તમારા ટ્રાન્ઝેક્શનને નકારી કાઢે છે, છતાં તમને એક SMS મળે છે કે તમારા ખાતામાંથી રકમ કપાઈ ગઈ છે. આ એક ગંભીર સ્થિતિ છે અને જ્યારે ઉપાડેલી રકમ મોટી હોય ત્યારે વધુ ચિંતાજનક બની જાય છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે જો પૈસા કપાય છે, તો તે તમારા ખાતામાં આપમેળે જમા થઈ જાય છે. પરંતુ કેટલીકવાર આ છેતરપિંડીના કારણે થઈ શકે છે, જેમાં છેતરપિંડી કરનારાઓ ATM સાથે છેડછાડ કરે છે અને તેનો ઉપયોગ તમારા કાર્ડને 'ક્લોન' કરવા માટે કરે છે અને પછીથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે.

જો આવું થાય, તો તરત જ આ કરો
આવી સ્થિતિમાં, તમારે સૌથી પહેલા બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ. આ માટે બેંકની 24 કલાક ગ્રાહક સેવા હેલ્પલાઈન પર કોલ કરવાનો રહેશે. આમ કરવાથી તમારી ફરિાદની નોંધ લેવામાં આવશે અને તમારા ટ્રાન્ઝેક્શન સંદર્ભ નંબરને રેકોર્ડ કર્યા પછી, એક્ઝિક્યુટિવ તમારી ફરિયાદ નોંધશે અને તમને ફરિયાદ ટ્રેકિંગ નંબર જારી કરશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અનુસાર, આ કિસ્સામાં સાત કામકાજના દિવસોમાં ગ્રાહકના ખાતામાં ક્રેડિટ જમા થઈ જવી જોઈએ.

વળતરની પણ જોગવાઈ છે
જો બેંક નિર્ધારિત સમયની અંદર તમારા ખાતામાંથી ડેબિટ થયેલી રકમ પરત ન કરે તો વળતરની જોગવાઈ છે. આરબીઆઈના નિયમો અનુસાર, બેંકે 5 દિવસમાં ફરિયાદનું નિરાકરણ કરવું પડશે. જો બેંક આ સમયગાળામાં સમસ્યાનું નિરાકરણ નહીં લાવે, તો દરરોજ 100 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જો તમે હજુ પણ સંતુષ્ટ નથી, તો તમે https://cms.rbi.org.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news