Anupamaa: શાહ પરિવારનું ઘર છોડ્યા બાદ અનુપમા પર આવી નવી મુશ્કેલી, એક બાળકનો મળ્યો સહારો

લોકપ્રિય ટીવી સીરિયલ અનુપમામાં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. હવે શાહ પરિવારનું ઘર છોડ્યા બાદ શોમાં નવો વળાંક આવશે. 

Anupamaa: શાહ પરિવારનું ઘર છોડ્યા બાદ અનુપમા પર આવી નવી મુશ્કેલી, એક બાળકનો મળ્યો સહારો

નવી દિલ્હીઃ ટીવીના જાણીતા શો 'અનુપમા' (Anupamaa) માં દરરોજ નવા ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યાં છે. આ દિવસોમાં શોનું મુખ્ય પાત્ર અનુપમાની જિંદગીમાં તોફાન આવ્યું છે. તેણે ગુસ્સામાં બા અને વનરાજને સાચુ-ખોટુ સંભળાવતા શાહ પરિવારનું ઘર છોડી દીધુ છે. ત્યારબાદ તેની લાઇફનું એક નવું ચેપ્ટર શરૂ થઈ ગયું છે, આ ચેપ્ટર પણ નવા પડકારથી ભરેલું છે. આ શોના આવનારા એપિસોડ્સમાં અનુપમાની નવી મુસીબતો જોવા મળશે. આ વચ્ચે એક બાળકને પણ દેખાડવામાં આવશે, જે બધાનું દિલ જીતી લીધું. 

દિલ તૂટી ગયું પરંતુ...
શાહ પરિવારથી મળેલા અપમાન બાદ અનુપમાનું દિલ તૂટી ગયું છે. તે આવનારા એપિસોડમાં હતાશ થઈને એકલી ભરતી જોવા મળશે. આ દરમિયાન કૃષ્ણાના અવનારમાં સજેલું બાળક અનુપમાને રસ્તામાં મળશે, જે તેને આ મુશ્કેલ સમયમાં જુસ્સો આપતું જોવા મળશે. આ જુસ્સાના સહારે અનુપમા એકવાર ફરીથી હિંમત ભેગી કરશે અને આગળ વધશે. આ બાળક અનુપમાને ગળે લગાવીને કહે છે કે બધુ ઠીક થઈ જશે, ચિંતા ન કરો, બસ હિંમત રાખો. 

વધશે મુશ્કેલી
તો અપકમિંગ એપિસોડની વાત કરીએ તો અનુપમા માટે બાપૂજી આરતી કરતા ભગવાનને પ્રાર્થના કરશે અને કહે છે કે જે લોકોએ અનુપમાને દુખ પહોંચાડ્યું તેને સજા જરૂર પળશે. આ સિવાય અનુપમાને તેના માતા-પિતા અને ભાઈઓનો પણ સાથ મળશે. બધા અનુપમાને વિશ્વાસ અપાવશે કે તેણે યોગ્ય નિર્ણય લીધો છે. પરંતુ આ વચ્ચે અનુપમાની મુશ્કેલી ત્યારે વધી જશે જ્યારે તે ભાડાનું ઘર શોધવા નિકળશે અને તેને લોકો કહેશે કે તે સોસાઇટીમાં કોઈ છુડાછેડાવાળી કે સિંગલ મહિલાને રહેવા દેશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news