જો થશે અનુષ્કા અને વિરાટના લગ્ન તો આ દાઢીવાળી વ્યક્તિનો હશે ખાસ રોલ

આ વ્યક્તિ ગયા વર્ષે પણ અનુષ્કા અને વિરાટ સાથે દહેરાદુનમાં જોવા મળી હતી

જો થશે અનુષ્કા અને વિરાટના લગ્ન તો આ દાઢીવાળી વ્યક્તિનો હશે ખાસ રોલ

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નના સમાચારો અને વિગતો આવી રહી છે. જોકે અનુષ્કાએ આ વાત ખોટી હોવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. જોકે હાલમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ ઇશારો કરે છે કે લગ્નના સમાચારોમાં કંઈક તો તથ્ય છે. હકીકતમાં અ્નુષ્કા ગુરુવારે રાત્રે પોતાના આખા પરિવાર સાથે ઇટાલી જેવા રવાના થઈ ગઈ છે. આ સમયે અનુષ્કા સાથે માત્ર તેના માતા-પિતા અને પરિવાર જ નહીં પણ ફેમિલી પંડિત પણ હતો. દાઢીધારી આ ફેમિલી પંડિતનો આ લગ્નમાં ખાસ રોલ છે. 

anushka sharma

પોતાના પરિવાર સાથેની આ ઇટાલી યાત્રામાં ફેમિલી પંડિતની હાજરી જાણે લગ્નની વાત સાચી હોય એનો પુરાવો આપે છે. હાલમાં જ્યારે એરપોર્ટ પર અનુષ્કાને જ્યારે પત્રકારોએ તેના લગ્ન વિશેના સવાલો કર્યા તો તે માત્ર થેન્ક્સ કહીને કોઈ સ્પષ્ટતા આપ્યા વગર ચાલી ગઈ હતી. અમારી સહયોગી વેબસાઇટ બોલિવૂડ લાઇફના રિપોર્ટ પ્રમાણે અનુષ્કા સાથે જે ફેમિલી પંડિતને જોવામાં આવ્યા છે તે ગયા વર્ષે પણ અનુષ્કા અને વિરાટ સાથે દેહરાદુનમાં દેખાયા હતા. આ પંડિતે જ અનુષ્કા અને વિરાટની પૂજા કરાવી હતી. 

anushka sharma

મીડિયા રિપોર્ટસ પ્રમાણે અનુષ્કા શર્મા ઇટાલીમાં તેના  બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની છે. આ લગ્નનું સેલિબ્રેશન 9 ડિસેમ્બરે શરૂ થશે અને બંને 12 ડિસેમ્બરે લગ્ન કરશે. જોકે અનુષ્કાના પ્રવક્તાએ આ વાતનું ખંડન કર્યું હોવા છતાં ફેમિલી ટ્રીપમાં પંડિતની હાજરી અનેક સવાલો ઉભા કરે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news