પર્સનલ લાઇફ પર જ્યારે વાત આવી તો ભડકી અનુષ્કા શર્મા, જુઓ ટ્વીટ

હાલમાં અનુષ્કાએ પોતાના સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેણે લખ્યું, એક પ્રખ્યાત અખબારમાં પોતાનું ખોટુ ઈન્ટરવ્યૂ જોવુ ખૂબ હેરાન કરનારી વાત છે. 

પર્સનલ લાઇફ પર જ્યારે વાત આવી તો ભડકી અનુષ્કા શર્મા, જુઓ ટ્વીટ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના લગ્ન સમયે ખૂબ ચર્ચામાં હતા. બંન્નેએ ગત વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા અને બંન્નેના સીક્રેટ લગ્ન ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા પરંતુ વિરાટ અને અનુષ્કા બંન્ને પોતાના આ ડેસ્ટીનેશન વેડિંગને સીક્રેટ બનાવવામાં સફળ રહ્યા અને બંન્નેએ લગ્ન બાદ સોશિયલ મીડિયાના ફેન્સને જણાવ્યું કે અમે લગ્ન કરી લીધા છે. ત્યારબાદ બંન્નેએ 2 રિસેપ્શનનું આયોજન કર્યું જે પણ ચર્ચામાં રહ્યું હતું. હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઈને એક અખબાર દ્વારા ન્યૂઝ પબ્લિશ કર્યા પર અનુષ્કા પોતાની નારાજગી જાહેર કરતી નજરે પડે છે. 

અનુષ્કાએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેણે લખ્યું, એક પ્રખ્યાત અખબારમાં પોતાનું ખોટુ ઈન્ટરવ્યૂ જોવુ હેરાન કરનારી વાત છે. હું તમને કહેવા ઈચ્છું છું કે મેં ક્યારેય ઈઆઈસમયને મારી ખાનગી જિંદગી વિશે ઈન્ટરવ્યૂ આપ્યું નથી અને મેં કોઈ બીજાને પણ મારી પર્સનલ લાઇફ સાથે જોડાયેલું ઈન્ટરવ્યૂ આપ્યું નથી. આ ટ્વીટની સાથે અનુષ્કાએ અખબારમાં જે પર પર તેના સમાચાર છાપ્યા છે તેની તસ્વીર પણ શેર કરી છે. 

— Anushka Sharma (@AnushkaSharma) March 9, 2018

તમને જણાવી દઈએ કે, અનુષ્કા આ દિવસોમાં તેની ફિસ્મ સુઇ ધાગા અને જીરોના શૂટિંગમાં વ્યસ્ત છે. અનુષ્કાની આ બંન્ને ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે અને અનુષ્કા તેની તૈયારી કરી રહી છે. થોડા સમય પહેલા અનુષ્કાની ફિલ્મ પરી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અનુષ્કાની એક્ટિંગને ક્રિટિક્સની ખૂબ પ્રશંસા મળી હતી અને આ ફિલ્મની સ્ટોરી દર્શકોને પસંદ પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news