'અનુપમા'ની અભિનેત્રી 20 વર્ષથી લગ્ન કર્યા વગર આ અભિનેતા સાથે લિવ ઈનમાં રહે છે

સીરિયલ 'ક્યુંકિ સાસ ભી કભી બહુ થી' એ મનોરંજન જગતને અનેક ધૂરંધર કલાકારોની ભેટ આપી છે. આ સીરિયલમાં અભિનેત્રી અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના પણ જોવા મળ્યા હતા. અશ્લેષાએ શોમાં તિશા મહેતા વીરાનીની ભૂમિકા ભજવી હતી જ્યારે સંદીપ સાહિલ વીરાનીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ સીરિયલ બાદ પણ આ જોડી આજે પણ સાથે સાથે જ છે?

'અનુપમા'ની અભિનેત્રી 20 વર્ષથી લગ્ન કર્યા વગર આ અભિનેતા સાથે લિવ ઈનમાં રહે છે

સીરિયલ 'ક્યુંકિ સાસ ભી કભી બહુ થી' એ મનોરંજન જગતને અનેક ધૂરંધર કલાકારોની ભેટ આપી છે. આ સીરિયલમાં અભિનેત્રી અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના પણ જોવા મળ્યા હતા. અશ્લેષાએ શોમાં તિશા મહેતા વીરાનીની ભૂમિકા ભજવી હતી જ્યારે સંદીપ સાહિલ વીરાનીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ સીરિયલ બાદ પણ આ જોડી આજે પણ સાથે સાથે જ છે?

અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના છેલ્લા 20 વર્ષથી સાથે છે. બંને 20 વર્ષથી લગ્ન કરીને નહીં પરંતુ લિવ ઈન રિલેશનશીપમાં સાથે રહી રહ્યા છે. સંદીપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભલે તેમના ઓફિશિયલ લગ્ન ન થયા હોય પરંતુ તેમનો સંબંધ લગ્ન જેવો જ છે. સંદીપે કહ્યું કે સાથે કરતા કરતા બંને એકબીજાની નજીક આવ્યા હતા. બંને એક જ પ્રોફેશનમાંથી છે તો એકબીજાના કામને પણ સમજે છે. 

સંદીપે વધુમાં કહ્યું કે અમારો સંબંધ લગ્ન જેવો જ છે. અમે બસ ઢોલ વગાડતા નથી. અમે ખુબ આધ્યાત્મિક લોકો છીએ. અમને ખબર છે કે આપણે આ દુનિયામાં ખુબ ઓછા સમય માટે આવ્યા છીએ. જેટલો સમય પ્રેમમાં પસાર કરો, તેટલું સારું છે. અમારું એક બીજાને વચન હતું કે જ્યાં સુધી અમારામાં પ્રેમ રહેશે, ત્યાં સુધી અમે સાથે રહીશું. જ્યારે પ્રેમ નહીં રહે તો પણ અમે એક બીજાના જીવનને નુકસાન પહોંચાડીશું નહીં. આ અમારી એક સોચ છે. અત્યાર સુધી તો પ્રેમ જળવાઈ રહ્યો છે આગળ ભવિષ્યમાં જોઈશું કે લગ્ન કરીશું કે નહીં. 

સંદીપ બસવાના કહે છે કે એવું નથી કે તે લગ્નની વિરુદ્ધમાં છે.  તેમનું માનવું છે કે બે લોકોએ જ્યાં સુધી તેમનામાં પ્રેમ હોય ત્યાં સુધી સાથે રહેવું જોઈએ. જો તેમના વચ્ચે પ્રેમ ખતમ થઈ જાય તો તેમણે એક બીજાનો સાથ છોડી દેવો જોઈએ. સંદીપને જ્યારે પૂછવામાં આવ્યું કે ફેમિલી પ્લાનિંગ અને બાળકો વિશે શું વિચારો છો તો તેણે  કહ્યું કે બાળકો દુનિયામાં અનેક છે. દુનિયાની જનસંખ્યા વધી રહી છે, કોઈએ તો તેના વિશે વિચારવું પડશે. 

તે કહે છે કે હાલ મને એવું લાગે છે કે જનસંખ્યા ખુબ વધુ છે. જ્યારે અંદરથી અવાજ આવશે તો અમે બાળકો પેદા કરી લઈશું. પરંતુ હાલ મને લાગે છે કે જનસંખ્યા ખુબ વધુ છે. કેટલાક લોકોએ તો એ વિચારવું જોઈએ કે જો બાળક જોઈતા હોય તો તેમને દત્તક લઈ લો, પોતાના ના કરો. પશુ-વનસ્પતિ બધા ઓછા થઈ રહ્યા છે. કેટલાક જાગૃત લોકોએ વિચારવું જોઈએ કારણ કે આપણા બાળકો જોઈએ તેમ વિચારીને બાળકો પેદા ન કરવા જોઈએ. બાળકો પેદા કરીશું તો તમે જુઓ જ છો કે બેરોજગારી કેટલી બધી છે. ગરીબ દેશ છે, લોકો પાસે ખાવા-પીવા સુદ્ધા નથી. 

અશ્લેષા સાથે મુલાકાત પર સંદીપ બસવાનાએ કહ્યું કે તેમની લેડી લવ અશ્લેષા સાવંત અને તે કમલ સિરીયલ દરમિયાન મળ્યા હતા. ત્યારબાદ તેમની એન્ટ્રી ક્યુંકિ સાસ... સીરિયલ સમયે થઈ હતી. સંદીપે કહ્યું કે અમે પહેલેથી એક બીજાને પસંદ કરતા હતા. સીરિયલમાં કામ કરતી વખતે જ આપણી લાઈકિંગ થઈ જ જાય છે. શિડ્યૂલ પણ એક હોય છે. અમે 18-20 કલાક સાથે કામ કરીએ છીએ તો એકબીજાને પસંદ કરવું એ સ્વાભાવિક થઈ જાય છે. 

સંદીપ બસવાના છેલ્લે સીરિયલ 'વિષ યા અમૃત: સિતારા'માં જોવા મળ્યો હતો. તેણે હાલમાં જ આવેલી કોમેડી ફિલ્મ 'હરિયાણા'નું દિગ્દર્શન કર્યું છે. જ્યારે અશ્લેષાની વાત કરીએ તો અશ્લેષા હાલ સ્ટાર પ્લસ પર આવતી લોકપ્રિય સીરિયલ 'અનુપમા'માં જોવા મળે છે. 'અનુપમા' સીરિયલમાં તે બરખા કાપડિયાની દમદાર ભૂમિકા ભજવી રહી છે. લિવ ઈન પાર્ટનર સંદીપની ફિલ્મ હરિયાણામાં પણ અશ્લેષાએ મહત્વની ભૂમિકા ભજવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news