Shubhangi Atre Birthday: જે પતિએ શુભાંગી અત્રે માટે છોડી દીધી હતી કારકિર્દી, કેમ લગ્નના 19 વર્ષ પછી અલગ થઈ ગઈ અભિનેત્રી?

Bhabi Ji Ghar Par Hai: માત્ર 19 વર્ષની ઉંમરમાં શુભાંગી મિસિસ પૂયીષ પૂરે બની ગઈ હતી. લગ્ન પછી તરત જ તેને એક પ્રેમાળ દીકરી થઈ. જેનું નામ આશી છે. અને હવે તે 18 વર્ષની છે.

Shubhangi Atre Birthday: જે પતિએ શુભાંગી અત્રે માટે છોડી દીધી હતી કારકિર્દી, કેમ લગ્નના 19 વર્ષ પછી અલગ થઈ ગઈ અભિનેત્રી?

Shubhangi Atre Divorce With Peeyush Poorey: 'ભાભી જી ઘર પર છે'માં અંગૂરી ભાભીનો રોલ કરીને અભિનેત્રી શુભાંગિની અત્રેએ ઘર-ઘર સુધી પોતાની ઓળખાણ બનાવી લીધી.  'ભાભી જી...' ટીવી સિરીયલે તેની કારકિર્દીને ફર્શથી અર્શ સુધી પહોંચાડી દીધી. પરંતુ તેની પર્સનલ લાઈફ સ્થિર ન રહી. થોડા સમય પહેલા શુભાંગીએ ખુલાસો કર્યો હતો કે તેણે તેની 19 વર્ષનું લગ્નજીવન ગયા વર્ષે જ ખતમ કરી દીધું. જાણો કેમ?

સ્કૂલમાંથી શુભાંગી-પીયૂષ પ્રેમ સંબંધમાં બંધાયા:
શુભાંગી અત્ર્એ પુણેના રહેવાસી પીયૂષ પૂરે સાથે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. બંનેના પ્રેમ સંબંધની શરૂઆત શાળાના દિવસોથી થઈ હતી. બંનેએ લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યુ અને નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા. માત્ર 19 વર્ષની ઉંમરમાં શુભાંગી મિસિસ પૂયીષ પૂરે બની ગઈ હતી. લગ્ન પછી તરત જ તેને એક પ્રેમાળ દીકરી થઈ. જેનું નામ આશી છે. અને હવે તે 18 વર્ષની છે.

લગ્ન પછી શુભાંગી અત્રેએ શરૂ કરી હતી કારકિર્દી:
એક ઇન્ટરવ્યુમાં શુભાંગીએ જણાવ્યું કે  જ્યારે તેની દીકરી 2 વર્ષની હતી, ત્યારે તેણે એકટીંગની દુનિયામાં પગ મૂકવાનો નિર્ણય કર્યો. તે સમયે તેના પતિએ જ તેની સૌથી વધારે મદદ કરી અને તેને મોટિવેટ કરી. એકબાજુ જ્યાં લગ્ન પછી અનેક અભિનેત્રી લગ્ન પછી પોતાની કારકિર્દીનો ત્યાગ કરી દે છે અથવા તેને મજબૂરીમાં આવું પગલું ઉઠાવવું પડે છે. જોકે પતિના સપોર્ટના કારણે એક્ટિંગમાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો. 

શુભાંગી માટે પતિએ છોડી દીધી હતી નોકરી:
પીયૂષ પૂરેએ માત્ર શુભાંગીને કેરિયર બનાવવા માટે મોટિવેટ જ ન કરી પરંતુ સંપૂર્ણ સપોર્ટ પણ કર્યો. તેમણે પોતાની પત્ની માટે નોકરી પણ છોડી દીધી. પીયૂષ એક એડ કંપનીમાં કામ કરતા હતા. પુત્રીના એક વર્ષ પછી શુભાંગીને અવારનવાર ઓડિશન માટે બહાર જવું પડતું હતું. ત્યારે તેનો પતિ તેની પુત્રીનું ધ્યાન રાખતો હતો. શુભાંગીના સપના માટે તેણે પોતાની કારકિર્દીની ચિંતા ન કરી. જ્યારે શુભાંગી સેટલ થઈ ગઈ ત્યારે પીયૂષે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું.  

શુભાંગીના કેમ છૂટાછેડા થયા:
શુભાંગી અત્રે છેલ્લા એક વર્ષથી પીયુષથી અલગ રહેતી હતી. તેણે બોમ્બ ટાઈમ્સ સાથે વાતચીતમાં ખુલાસો કર્યો કે તેમની વચ્ચે કેટલાક પર્સનલ ઈશ્યુ હતા. બંનેએ તેને સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. આથી તેમણે અલગ થવાનો નિર્ણય કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news