તનુશ્રી-નાના પાટેકર વિવાદમાં હવે રાખી સાવંત કૂદી, આપ્યું અત્યંત ચોંકાવનારું નિવેદન

અભિનેત્રી તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સતત નવા નિવેદનો સામે આવ્યાં કરે છે. 

તનુશ્રી-નાના પાટેકર વિવાદમાં હવે રાખી સાવંત કૂદી, આપ્યું અત્યંત ચોંકાવનારું નિવેદન

મુંબઈ: અભિનેત્રી તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સતત નવા નિવેદનો સામે આવ્યાં કરે છે. હવે આ વિવાદમાં કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતે પણ ઝંપલાવ્યું છે. તેણે ખુબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. રાખીએ કહ્યું કે તનુશ્રી દત્તા જે સમયે હોર્ન ઓકે પ્લીઝનું શુટિંગ કરી રહી હતી ત્યારે તે સમયે હાઈ ડ્રગ્સ ડોઝ પર હતી અને એટલે જ તે ગીતનું શુટિંગ કરી શકી નહતી. અત્રે જણાવવાનું કે આ એ જ ગીત હતું જેના શુટિંગ સમયે તનુશ્રીએ નાના પાટેકર પર કથિત ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. 

નાના પાટેકરે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરતા પોતાના તરફથી સ્પષ્ટતા કરી પરંતુ 3 દિવસથી તનુશ્રીના નિવેદન બાદ આ મામલો ખુબ ચગ્યો છે. આ એજ ગીત હતું જેને તનુશ્રી પાછળ હટી જતા રાખી સાવંતે કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે જણાવતા રાખી સાવંતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું અને તેણે તનુશ્રી વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું. રાખી સાવંતને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હાં મને ખબર હતી કે તનુશ્રી એ ગીતમાં હતી. 

ત્યારબાદ રાખી સાવંતે સમગ્ર ઘટના અંગે વિસ્તૃત વાત કરી. તેણે કહ્યું કે હું તે દિવસે ઘરમાં બેઠી હતી, ત્યારે માસ્ટરજી (ગણેશ આચાર્ય)નો ફોન આવ્યો અને કહ્યું કે રાખી તરત સેટ પર આવી જા. તારી ગીત કરવાનું છે. મેં તેમને પૂછ્યું કે ગીત મોકલો અને બતાવો કે મારે શું કરવાનું છે. તો તેમણે કહ્યું કે બસ તુ આવી જા, તારે શું કરવાનું છે, ગીત હું કરી રહ્યો છું ને. ત્યારબાદ રાખીએ જણાવ્યું કે મેં તરત કોસ્ચ્યુમ અંગે પૂછ્યું તો માસ્ટરજીએ કહ્યું કે બસ તુ આવી જા, બધુ બરાબર થઈ જશે. એટલું જ નહીં રાખીએ જણાવ્યું કે ગણેશ આચાર્યના ફોન બાદ તેમના ઉપર નાના પાટેકરનો પણ ફોન આવ્યો હતો અને તેમણે પણ આ જ વાત દોહરાવી હતી કે સેટ પર જલદી આવી જા. 

રાખીએ ત્યારબાદ જણાવ્યું કે અફરાતફરીમાં જ્યારે તે સેટ પર પહોંચી તો ત્યાંના હાલાત જોઈને હોશ ઉડી ગયાં. તેને સમજમાં ન આવ્યું કે આ બધુ શું છે. ફક્ત એટલું જાણવા મળ્યું કે ખુબ મોટી ગડબડ થઈ છે. કારણ કે ત્યાં મેકઅપ વાન હતી અને અનેક લોકો હતાં. મીડિયા હતી, ખુબ તોડફોડ થઈ હતી. 

રાખી સાવંતે જ્યારે ગણેશ આચાર્યને પૂછ્યુ તો તેમણે જણાવ્યું કે આ ગીત તનુશ્રીનું હતું અને અમે થોડું શૂટ પણ કર્યું પરંતુ હવે તે કોઓપરેટ કરતી નથી. ત્યારબાદ મે વિચાર્યું કે હું કોલ કરું છું પરંતુ આમ છતાં તેણે મારો પણ ફોન ન ઉપાડ્યો. ત્યારબાદ રાખીએ કહ્યું કે "તે સમયે ડેઝી માસ્ટરજીની આસિસ્ટન્ટ હતી અને તેણે આખી વાત જણાવી કે તે ખુદ તનુશ્રીને બોલાવવા માટે 10વાર ગઈ હતી પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ મેકઅપ આર્ટિસ્ટે જણાવ્યું કે મેડમ અંદર 3-4 કલાકથી બેહોશ છે, મેં પૂછ્યું કે કેમ? તો તેણે જવાબ આપ્યો કે તે ડ્રગ્સ લઈને બેહોશ છે."

અહેવાલ સાભાર -બોલિવૂડ લાઈફ ડોટ  કોમ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news