કચ્છ ભૂકંપની હૃદયદ્રાવક ઘટના : 22 વર્ષે પણ રાજકોટનો ધંધુકિયા પરિવાર નથી ભૂલ્યો એ દિવસ

Kutch Earthquake : કચ્છના ભૂકંપમાં રાજકોટના ધંધુકિયા પરિવારના ત્રણ સભ્યો... નોકરી મળ્યાંના બરોબર 365 દિવસ પૂરા થયા અને 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે ધ્વજવંદન માટે જવા તૈયાર થયા હતા. સવારમાં જ કુદરતે એવી થપાટ મારી કે, ભાઇ-ભાભી અને ભત્રીજી ધરતીમાં સમાઈ ગયા

કચ્છ ભૂકંપની હૃદયદ્રાવક ઘટના : 22 વર્ષે પણ રાજકોટનો ધંધુકિયા પરિવાર નથી ભૂલ્યો એ દિવસ

Kutch Earthquake : આજે કચ્છના ગોઝારા ભૂકંપને 22 વર્ષ (22 years of earthquake) પૂર્ણ થયા છે. પરંતુ જેમને આ ભૂકંપમાં સ્વજનો ગુમાવ્યા છે, તેમની આંખો આજે પણ એ દિવસ યાદ કરી ભરાય જાય છે. તેમની નજર સામે એ ભયાનક દિવસ તરી આવે છે. કેમ રીતે મકાનોના કાટમાળ ઢગલા થઈને પડ્યા હતા. આવા જ એક રાજકોટના પરિવારની વાત કરીએ તો, કચ્છના ભૂકંપ (kutch earthquake) માં તેમના પરિવારની એક નહિ પણ ત્રણ-ત્રણ જિંદગી ઘરના કાટમાળ નીચે દબાઈ ગઇ હતી. રૂંવાડા ઉભા કરી દે તેવી હૃદયદ્રાવક ઘટના મૃતકના ભાઇ દિનેશભાઇ ધંધુકિયાએ વર્ણવ્યો ત્યારે કોઈનુ પણ દિલ રડી પડે.

ધ્વજવંદન માટે જવા ભાઈ તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે કુદરતે થપાટ મારી 
દિનેશ ધંધુકીયાએ એ દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે, મારા મોટાભાઇ કિરીટને ભૂજ ( bhuj ) કોર્ટમાં નોકરી મળી હતી અને તેમનો આખો પરિવાર ત્યાં શિફ્ટ થયો હતો. નોકરી મળ્યાંના બરોબર 365 દિવસ પૂરા થયા અને 26 જાન્યુઆરી 2001ના દિવસે સવારે ધ્વજવંદન માટે જવા તૈયાર થયા હતા. સવારમાં જ કુદરતે એવી થપાટ મારી કે, ભાઇ-ભાભી અને ભત્રીજી ધરતીમાં સમાઈ ગયા હતા. ભૂકંપ ( earthquake ) બાદ ચારેય બાજુ કાટમાળના દ્રશ્યો અને લાશોના ઢગલા જોઇ મારું શરીર પાણી પાણી થઇ ગયું હતું અને મને ચક્કર આવવા લાગ્યા હતા. 

11 દિવસ પછી આખા પરિવારના મૃતદેહો બહાર કાઢ્યા
હુ આજે પણ એ દિવસ ભૂલ્યો નથી તેવુ કહેતા દિનેશભાઈએ કહ્યું કે, કોર્ટે આપેલા ક્વાર્ટરમાં ચારેય બાજુ ઇમારતની જગ્યાએ મેદાન થઇ ગયું હતું. ઘણા પ્રયત્નો પછી મિલિટ્રી (indian army) ની મદદથી ભાઇ-ભાભી અને ભત્રીજીને કાટમાળ નીચે દબાયેલા જોવા મળ્યાં હતા. એટલો કાટમાળ હતો કે, મૃતદેહો પણ નીકળે તેમ નહોતા. અંતે જવાનો અને જેસીબીની મદદથી 11 દિવસ પછી મૃતદેહો બહાર કાઢ્યા હતા. અમે કચ્છના ભૂકંપમા મારા 27 વર્ષીય ભાઈ કિરીટભાઇ, ભાભી સરોજબેન અને ત્રણ વર્ષની ભત્રીજી જિજ્ઞાશાને ગુમાવી હતી. ત્રણેયના મૃતદેહો પણ ભેટેલી હાલતમાં જ જોવા મળ્યા હતા.  

આ પણ વાંચો : 

માતાનું સપનુ રગદોળાયું 
ઉલ્લેખનિય છે કે રાજકોટમાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ બાબુભાઈ ધંધુકીયાનો પરિવાર આજે પણ કચ્છ (kutch) ના ભૂકંપનો દિવસ યાદ કરે તો રડી પડે છે. તેમની માતાનું સ્વપ્ન હતું કે, દીકરાને સરકારી નોકરી મળતા તે પરિવારનો આધારસ્તંભ બનશે. પરંતુ માતાની આ આશા કુદરત સામે લાચાર બની હતી.

22 સેકન્ડ માટે 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
કચ્છ એક ઐતિહાસીક શહેર છે જ્યાં પરંપરા તેની હવામાં છે. કચ્છ પોતાની સંસ્કૃતિ અને ધાર્મિકતા માટે ઓળખાય છે. ત્યારે, રોજ સવારે અહીં મંદિરોમાં થતા ઘંટનાદથી લોકો જાગે છે. 26 જાન્યુઆરી 2001 ભારતનું 52મો ગળતંત્ર દિવસ હતો.કચ્છમાં એ દિવસની શરૂઆત પણ કઈ આવી જ હતી.મંદિરોમાં ઘંટનાદ અને શાળાઓમાં ધ્વજવંદનથી લોકો ખુશ હતા. પરંતુ કોઈએ સ્વપ્નમાં પણ એ નહોંતું વિચાર્યં કે આ દિવસનો અંત 1 લાખ 2 હજાર 37 લોકોના આસુંઓ સાથે થશે. સવારે 8.45 વાગ્યે જ્યારે લોકો ઘરમાં ચા નાસ્તો કરતા હતા. બાળકો શાળાઓમાં ધ્વજવંદન કરતા હતા. ત્યારે, અચાનક 22 સેકન્ડ માટે 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને પુરા કચ્છને રોવડાવી ગયો હતો.

આ પણ વાંચો : 

યાદ કરીને આસું વહેવા લાગે છે 
વર્ષ 2001માં 26 જાન્યુઆરીનો દિવસ કોઈ પણ ગુજરાતી માટે ભૂલવો આસાન નથી. આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો. કચ્છના ભયાનક ભૂકંપના 22 વર્ષ વિતી ગયા છે. પરંતુ એ ભૂંકપની હોનારતને આજે પણ કચ્છવાસીઓ ભૂલી નથી શક્યા.આજે પણ એ ભૂકંપના દ્રશ્યો યાદ કરતાની સાથે લોકોની આંખમાથી આંસુ વહેવા લાગે છે.

700 કિલોમીટર અને 182 તાલુકાની ધજા ધ્રુજી
ભૂકંપના કારણે 700 કિમી સુધીના વિસ્તારમાં આવેલા 182 તાલુકાઓ પર અસર થઈ હતી. જેમાં અંદાજે 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા થયા હતા. 238 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ અને 357 કિલોમીટર દૂર આવેલા સુરતમાં પણ ભૂકંપના કારણે તબાહી મચી હતી. અમદાવાદમાં 81 બ્લિડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા. સુરતમાં પણ હરેકૃષ્ણ નામની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી જેમાં 8 લોકોના કરૂણ મોત થયા હતા.જો કે આ વાતને 22 વર્ષ વિતી ગયા છે.છતા લોકો આ ભયાનક ઘટનાને ભૂલી નથી શક્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news