BREAKING: ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન, મહિલાઓ માટે 'સેવા' સંસ્થાની કરી હતી સ્થાપના

ઇલાબેન તેમના જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓ માટે કામ કર્યું છે. ઇલાબેન રેમોન મેગ્સેસે સાથે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રહ્યા છે.

BREAKING: ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન, મહિલાઓ માટે 'સેવા' સંસ્થાની કરી હતી સ્થાપના

ગૌરવ પટેલ/અમદાવાદ: હાલ એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. સેવાના ઇલાબેન ભટ્ટનું નિધન થયું છે. બીમારી બાદ સેવાના ઇલાબેન ભટ્ટ 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું છે. ઇલાબેને મહિલાઓ માટે 'સેવા' સંસ્થાની સ્થાપના કરી હતી.

ઇલાબેન તેમના જીવનકાળ દરમિયાન અનેક મહિલાઓ માટે કામ કર્યું છે. ઇલાબેન રેમોન મેગ્સેસે સાથે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રહ્યા છે. છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે પણ સેવા આપી રહ્યા હતા. સેવાના ઇલાબેન ભટ્ટને અનેક એવોર્ડ મળ્યા છે, જેમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 2, 2022

તમને જણાવી દઈએ કે, ઇલાબહેન ભટ્ટનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા.  તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં.

1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.  1977માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો.

ઇલાબેન ભટ્ટના પુત્ર મિહિર ભટ્ટનું નિવેદન
ઇલાબેન ભટ્ટના પુત્ર મિહિર ભટ્ટે જણાવ્યું હતું કે, આજે બપોરે 12:20 વાગ્યે ઇલાબેન ભટ્ટનું નિધન થયું છે. થોડા સમય પહેલા સ્ટ્રોક આવ્યો હતો, જેના ઈલાજ બાદ ધીરે ધીરે તેઓ સ્વસ્થ થયા હતા. ત્યારબાદ ગોલબ્લેડરનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ઓપરેશન બાદ ગેંગરીનની સમસ્યા થઈ હતી. ઓપરેશન બાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા, ધીરે ધીરે તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા. પરંતુ શરીરના જુદા જુદા અંગોમાં સમસ્યાને કારણે બપોરે 12.20 વાગ્યે નિધન થયું છે. આવતીકાલે સવારે 9 વાગે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ કરાશે.

સમાજ સેવિકા ઈલાબહેનની વિદાય

  • 7 સપ્ટેમ્બર, 1933ના રોજ સુરતમાં જન્મ થયો હતો
  • સાર્વજનિક ગર્લ્સ સ્કૂલમાંથી હાઈસ્કૂલ પાસ કર્યુ હતુ
  • 1952માં સુરતની MTB કોલેજમાંથી BA પાસ કર્યુ હતુ
  • 1954માં અમદાવાદની એલ.એ.શાહમાંથી LLB પાસ કર્યુ હતુ
  • મુંબઈની એસ.એન.ડી.ટી. કોલેજમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યુ
  • 1955માં અમદાવાદમાં મજૂર મહાજનની કાયદા શાખામાં જોડાયા
  • 1968માં મજૂર મહાજનની સ્ત્રી શાખાનું સંચાલન કર્યુ
  • મજૂર મહાજન તરફથી ઇઝરાયેલમાં મજુર કાયદા બાબત અભ્યાસ કર્યો
  • મિલમાં મજૂરી કરતા કર્મચારીની પત્ની માટે કામ કરતા હતા
  • 1972થી તેમણે SEWA નામની સંસ્થાની શરૂઆત કરી હતી
  • 1980થી 1998 સુધી વર્લ્ડ વુમેન્સ બેન્કિંગમાં કાર્ય કર્યુ
  • રોકફેલર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે પણ કામ કર્યુ
  • એલ્ડર્સ સંસ્થામાં ઈલા ભટ્ટનું પાયાનું યોગદાન 
  • વર્ષ 2015માં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા હતા

ઈલા ભટ્ટને મળેલા પુરસ્કાર

  • 1977માં સામાજિક નેતૃત્વ માટેનો રેમને મેગસેસ એવોર્ડ મળ્યો
  • 1985માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા
  • 1986માં ભારત સરકારનો પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો
  • 2010માં US સરકારે ગ્લોબલ ફેરનેસ એવોર્ડથી સન્માનિત કર્યા
  • 2011માં સ્ત્રીઓના ઉદ્ધાર માટે અતિ પ્રતિષ્ઠિત રેડક્લિફ સુવર્ણ ચન્દ્રક મળ્યો
  • 2013માં ઈન્દિરા ગાંધી પારિતોષિક એવોર્ડ મળ્યો હતો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news