અંબાજીમાં વર્ષમાં એકવાર થતી પ્રક્ષાલન વિધી પૂર્ણ: 188 વર્ષથી અમદાવાદનો સોની પરિવાર કરે છે, જાણો આ વિધી શા માટે કરાય છે?

અમદાવાદનાં સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 188 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલાં છે. આ વીધીમાં અંબાજી મંદિર પરીષરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીનાં શણગારના સોના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે.

અંબાજીમાં વર્ષમાં એકવાર થતી પ્રક્ષાલન વિધી પૂર્ણ: 188 વર્ષથી અમદાવાદનો સોની પરિવાર કરે છે, જાણો આ વિધી શા માટે કરાય છે?

પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો ભરાયા બાદ વર્ષ પરંપરાગત રીતે અંબાજી મંદિર થતીમાં 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલનવીધી પુર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. જેમાં અંબાજી નીજ મંદિરના ગોખ સહીત સમગ્ર મંદિર પરીસરને સાફ સફાઈ કરવામાં આવે છે.

જે ખાસ કરીને અમદાવાદનાં એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 188 વર્ષથી આ વિધી સાથે સંકળાયેલાં છે. આ વીધીમાં અંબાજી મંદિર પરીષરને પવિત્ર નદીઓના નીરથી ધોવામાં આવે છે અને માતાજીનાં શણગારના સોના ચાંદીનાં દાગીનાઓને મંદિરનાં પવિત્રજળની ધોવામાં આવે છે. આજે અંબાજી મંદિરમાં કરવામાં આવેલી પક્ષાલનવિધીમાં જીલ્લા પોલીસ વડા જીલ્લા કલેકટર સહીત અનેત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી મંદિરમાં 24 સપ્ટેમ્બરે થશે એક ખાસ પારંપરિક વિધિ, બપોર પછી મંદિર રહેશે બંધ

વર્ષ દરમ્યાન આજે પક્ષાલનમાં એક જ વખત બહાર લાવવામાં આવતા માતાજીના શણગારના તમામ દાગીનાની સફાઈ કરવામાં આવે છે. એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનનું તક્તુ માતાજીના હારમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પુતળીનો હારનાં નામે માતાજીને પહેરાવવામાં આવે છે. 

માનવામાં આવે છે જે હમણા સુધીમાં માતાજીના હારમાં આજ સુધીની 189 તક્તાનો હાર માતાજી પાસે છે. ભાદરવી પુનમનાં મેળાં દરમિયાન લાખો પદયાત્રીઓ આવતાં હોય છે ને આ યાત્રિકોની રસ્તામાં કોઇ પવિત્રતાં ન જળવાઇ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી આ મંદિરની પવિત્રતાં જાળવવાં ખાસ પ્રક્ષાલન વિધી કરવામાં આવે છે. જોકે આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન આરતી રાબેતા મુજબના સમયનુસાર થશે.

No description available.

શું છે પ્રક્ષાલન વિધિ 
અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવીધી વર્ષ માં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. ભાદરવી પૂનમ (bhadaravi Poonam) દરમિયાન હજારોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે. જેમાં ઘણા યાત્રિકો રસ્તામાં શૌચક્રિયાઓ વગેરે કર્યા બાદ સીધા મંદિરે દર્શન માટે પહોંચી જતા હોય છે. તેવામાં મંદિરની પવિત્રતા જળવાતી નથી. જેને લઈ ભાદરવી પૂનમના ચોથા દિવસે મંદિર ગોખ સહિત સમગ્ર મંદિર પરિસરને નદીના પાણીથી ધોઇ સાફ સફાઈ કરવામાં આવે છે. સાથે માતાજીના વિવિધ શણગારના અલંકારો, સવારીને પૂજનની તમામ સામગ્રીની સફાઈ કરવામાં આવે છે, જેને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. આ વર્ષે આ પ્રક્ષાલન વિધિ માટે આવતીકાલે 13 સપ્ટેમ્બર મંગળવારના રોજ માતાજીને રાજભોગ ધરાયા બાદ દર્શનાર્થીઓ માટે મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. પ્રક્ષાલન વિધિ પત્યા બાદ નૈવેદ્ય ચઢાવી ફરી મંદિર શરૂ કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરથી મંદિરમાં દર્શન આરતી રાબેતા મુજબ રહેશે.

No description available.

પ્રક્ષાલનના દિવસે મંદિર બપોરના 1.30 વાગ્યા સુધી ખૂલું રહેશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી માટે સંપૂણ બંધ રહેશે અને મંદિરની પક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ સાયંકાલની આરતી રાત્રિના 9 કલાકે કરeશે અને તેના બીજા દિવસથી દર્શનાર્થીનો સમયે રાબેતા દર્શન કરી શકશે તેવું અંબાજી મદિરના મહારાજ દેવાંગ ઠાકરે જણાવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news