VIDEO જામનગર: ઈમરાન ખાનના મુખે PM મોદીના શબ્દો, આનંદીબેન બોલ્યા- 'ગૌરવની વાત'

મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શુક્રવારે જામનગર ખાતે વાતસલ્ય ધામના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. આનંદીબહેન પટેલે પાકિસ્તાનમાં હાલમાં જ થયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી પીટીઆઈના ચીફ ઇમરાન ખાન પર નિવેદન કર્યું હતુ. 

VIDEO જામનગર: ઈમરાન ખાનના મુખે PM મોદીના શબ્દો, આનંદીબેન બોલ્યા- 'ગૌરવની વાત'

મુસ્તાક દલ, જામનગર: મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શુક્રવારે જામનગર ખાતે વાતસલ્ય ધામના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. આનંદીબહેન પટેલે પાકિસ્તાનમાં હાલમાં જ થયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી પીટીઆઈના ચીફ ઇમરાન ખાન પર નિવેદન કર્યું હતુ. 

આનંદીબહેન પટેલે કહ્યું કે ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે. ઈમરાન ખાન દ્વારા કરવામાં આવેલા  'તમે એક ડગલું ચાલશો તો હું બે ડગલા ચાલીશ' નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. બીજા દેશના આવા પુરુષો પણ જ્યારે નરેન્દ્રભાઈના શબ્દો વાપરતા હોય ત્યારે આપણને  ગૌરવ થવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પે પણ નરેન્દ્રભાઈ મોદીના વાક્યનું અનુકરણ કર્યું. તેમણે કહ્યુ હતું કે સૌનો સાથ સૌનો વિકાસ. 

અત્રે જણાવવાનું પાકિસ્તાનમાં ઈમરાન ખાન નવા વડાપ્રધાન બને તેવી પૂરેપૂરી સંભાવના છે. પાર્ટીને જો કે પૂર્ણ બહુમત તો નથી મળ્યો પરંતુ ગઠબંધનમાં સરકાર બનાવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news