અમદાવાદની એક સોસાયટીના 174 ફ્લેટ્સમાંથી 74 PG, રહીશોએ નવો નિયમ બનાવતા થઈ બબાલ

PG In Ahmedabad : અમદાવાદમાં આનંદનગરની નીલકંઠ એલીગન્સ સોસાયટીમાં પીજી મામલે વિરોધ... પીજી સિવાયના અન્ય લોકોની આવતાં હોવાથી વિરોધ.... ત્રણ મહિનાના પાસ ઈશ્યુ કરવા માટેનો નિર્ણય... સોસાયટીમાં 172 ફ્લેટમાંથી 72 ફ્લેટમાં છે પીજી
 

અમદાવાદની એક સોસાયટીના 174 ફ્લેટ્સમાંથી 74 PG, રહીશોએ નવો નિયમ બનાવતા થઈ બબાલ

Ahmedabad News અમદાવાદ : અમદાવાદમાં પીજી એકવાર ફરી ચર્ચામા આવ્યા છે. શહેરના આનંદનગર વિસ્તારમાં PG ને લઈ વિવાદ ઉઠ્યો છે. એલીગન્સ સોસાયટીમાં PGને લઈ અન્ય લોકોની અવરજવરને કારણે સોસાયટીના રહીશોની નારાજગી સામે આવી છે. આ અંગે સોસાયટીના લોકોએ ત્રણ મહિનાના પાસ ઈશ્યુ રવાનો નિર્ણય કર્યો છે. જેમાં માત્ર PGમાં રહેતા લોકોને પ્રવેશ મળે તે માટે પાસ ઈશ્યુનો નિર્ણય લેવાયો છે. જો કે સોસાયટીના નિર્ણંય સામે PG માં રહેતા છોકરા છોકરીઓ દ્વારા વિરોધ કરાયો છે.

પીજી સિવાયના લોકો કરે છે એન્ટ્રી
આનંદ નગર વિસ્તારની નીલકંઠ એલીગન્સ સોસાયટીમાં વિવાદ સામે આવ્યો છે. રહીશોએ PG માં રહેતા યુવક યુવતીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે. રહીશોનું કહેવું છે કે PG માં રહેતા યુવક યુવતીઓ અછાજતું વર્તન જાહેરમાં કરે છે. સાથે જ તેઓ દારૂનું પણ સેવન કરે છે. રાતના સમયે સોસાયટીમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા 700-800 સુધી પહોંચી જાય છે. 

પીજીમાં રહેનારાને જ પાસ મળશે 
PG ના રહીશો સિવાય પણ અન્ય લોકોની અવરજવરને કારણે રહીશોમાં નારાજગી જોવા મળી. અગાઉ સોસાયટીના લોકોએ ત્રણ મહિના માટે પાસ ઈશ્યુ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં માત્ર PG માં રહેતા લોકોને જ પ્રવેશ મળે તેવુ રહીશોનું કહેવું છે. તો બીજી તરફ, PG માં રહેતા મોટાભાગના યુવક યુવતીઓએ પાસ લેવાની ના પાડી છે. 

રહીશોનું કહેવું છે કે નીલકંઠ એલીગન્સમાં 174 ફ્લેટ્સમાંથી 74 માં PG ચાલે છે. અહીં લોકો ગેરકાયદે પેટાભાડુઆત રાખ્યા છે. એક વ્યક્તિએ 25 ફ્લેટ્સ PG માટે આપ્યા છે. PG માં રહેવા માટે આપવા પડતા ડોક્યુમેન્ટ્સ પણ જમા કરાવ્યા નથી. આ સિવાય સોસાયટીનું મેઇન્ટેન્સન પણ સમયે ચૂકવામાં આવતું નથી. જે કારણે સોસાયટીના રહીશો દ્વારા પીજીના સંચાલકો અને પીજીમાં રહેતા લોકો સામે રોષ ફાટી નીકળ્યો છે. 

આમ, સોસાયટીમાં મોડીરાત્રે પીજી રહેતા લોકો અવરજવર સાથે કેટલીક અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. આગામી 1 મેથી સંપૂર્ણપણે સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ બંધ કરાવવામાં આવશે. જેમાં સ્થાનિકો દ્વારા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સ્થાનિક કોર્પોરેટરને પીજી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news