વડોદરા: પુત્રીને પ્રેમ થઇ જતા સસરારે જમાઇને ઝાડ સાથે લટકાવીને મારી નાખ્યો

પાંચ બાળકની માતા પર પુરુષના પ્રેમમાં પડી હતી. જો કે મહિલાનો અંજામ આવ્યો તેના પ્રેમી રહ્યો ના પતિ. જી હા વડોદરાના ડભોઇના યાત્રાધામ ચાંદોદની આ ઘટના સમાજને શરમસાર કરતી છે. જેમાં મૃતકના સસરા અને પરણિતાના પ્રેમીએ મળીને ખેતી કામ કરતા જમાઈને મોતને ઘાટ ઉતારી વડના ઝાડ પર લાશ લટકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો મૃતક જેન્તી તડવી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ટૂંક સમય પહેલાં જ પોતાની પત્ની સાથે મતભેદને લઇને ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પોતાની સાસરીમાં રહેતો હતો. વાત એ છે કે પાંચ દિવસ પહેલા ચાંદોદ પોલીસની વર્ધિ મળી હતી કે, રામનાથ ઘાટ પાસે જયંતિ તડવી નામના યુવકે અગમ્ય કારણોસર ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી છે. 
વડોદરા: પુત્રીને પ્રેમ થઇ જતા સસરારે જમાઇને ઝાડ સાથે લટકાવીને મારી નાખ્યો

ચિરાગ જોશી/અમદાવાદ: પાંચ બાળકની માતા પર પુરુષના પ્રેમમાં પડી હતી. જો કે મહિલાનો અંજામ આવ્યો તેના પ્રેમી રહ્યો ના પતિ. જી હા વડોદરાના ડભોઇના યાત્રાધામ ચાંદોદની આ ઘટના સમાજને શરમસાર કરતી છે. જેમાં મૃતકના સસરા અને પરણિતાના પ્રેમીએ મળીને ખેતી કામ કરતા જમાઈને મોતને ઘાટ ઉતારી વડના ઝાડ પર લાશ લટકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો મૃતક જેન્તી તડવી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ ટૂંક સમય પહેલાં જ પોતાની પત્ની સાથે મતભેદને લઇને ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પોતાની સાસરીમાં રહેતો હતો. વાત એ છે કે પાંચ દિવસ પહેલા ચાંદોદ પોલીસની વર્ધિ મળી હતી કે, રામનાથ ઘાટ પાસે જયંતિ તડવી નામના યુવકે અગમ્ય કારણોસર ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી છે. 

જે બનાવની જાણ થતા પોલીસે તત્કાલીન પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અનેક ગટસ્પોર્ટ થયા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક જેન્તી તડવીને દારૂની લત પડી ગઈ હતી. જેને લઇ તેના પરિવાર સાથે અનેક વખત તકરાર થઇ હતી. જે રાતે પણ એમ જ બન્યું હતું 21 જાન્યુઆરીના રોજ મૃતક જયંતિ તડવી દારૂના નશામાં ચકચૂર હતો તે દરમિયાન તેની પત્ની સાથે તેને બોલવાનું થયું હતું. જેને લઇ આજુબાજુમાંથી તેના સસરા નારાયણ નાયક તેમજ તેની બાજુમાં રહેતો અલ્કેશ તડવી તેમજ તેના બે સાથીદાર એમ ચારેય થઈને મૃતક જેન્તી તડવી પર હુમલો કર્યો હતો. પરંતુ આ ક્રોધ એટલે હવે ચડ્યો હતો કે બાજુમાં પડેલી સાડી લઈને આ ચારેય શખ્સો મૃતક જેન્તી તડવી ના ગળા ના ભાગે વીંટીને તૂટી પડ્યા હતા. તે દરમિયાન મૃતક જયંતિ તળિયે ત્યાં જ દમ તોડી નાખ્યો હતો. આ ચારેય શખ્સોએ કરતા તો કરી નાખ્યું પરંતુ ત્યારબાદ ભાન થયું હવે શું કરશે. 

જેને લઇ તેજ રાતે આ તમામ લોકોએ યોજના ઘડી મૃતક જેન્તી તડવી ના મૃત દેહ ઘરની બાજુમાં વડના ઝાડ સાથે લટકાવી દીધો હતો. તેને આત્મહત્યાનું નામ આપી પોલીસને જાણ કરી હતી પરંતુ કહેવાય છે ને સત્ય હંમેશા બહાર આવે છે. જેને લઇને પરિવારના તમામ સભ્યોની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા અને જે હાથે બાપે કન્યાદાન કર્યું હતું તેજ હાથે જમાઈની હત્યા કરી નાખી હતી. પરંતુ એમાં એક એવો પણ ખુલાસો થયો હતો કે અખીલેશ તડવી નામનો યુવાન કેમ સાથે આવ્યો. પોલીસે જ્યારે અખીલેશ તડવીની પૂછપરછ હાથ ધરી ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે, મૃત્યુ પામનાર જેન્તી તડવીની પત્ની સુમીબેન તડવી સાથે તેઓ પ્રેમ સંબંધ ધરાવતા હોય અને સુમી તડવીનો પતિ જયંતિ કાંટાની જેમ ખૂંચતો હોય જે કાંટાને દૂર કરવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ હાલ સુમી તડવી જે મૃતકની પત્ની છે તેને જ પોતાના પ્રેમીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉચ્ચારી છે. પરંતુ સમગ્ર મામલે અન્ય બે ઈસમોએ પણ પ્રેમીની ના મિત્ર હોય તેઓ પણ આ સમગ્ર ઘટનામાં સામેલ હોવાથી હાલ પોલીસે ચારે આરોપીની કલમ 302 હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news