ગાંધીનગરમાં માસુમ બાળકને તરછોડી દેવાની હચમચાવી દેતી ઘટના, ZEE 24 કલાકની મદદની અપીલ

ગાંધીનગર (gandhiangar) ના પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની છે. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું છે. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આવામાં ZEE 24 કલાક લોકોને અપીલ કરે છે કે બાળક વીશે કોઈને પણ માહિતી મળે તો અમારો સંપર્ક કરે. ફૂલ જેવા આ કુમળા બાળકને ન્યાય અપાવવો એ જ ZEE 24 કલાકની મૂહિમ છે. અનેક લોકો આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કેટલાક લોકો બાળકની સ્થિતિ જાણીને રડી પડ્યા હતા. તો રાજકોટના એક પૂજારીએ બાળકને દત્તક લેવાની તૈયારી બતાવી છે.
ગાંધીનગરમાં માસુમ બાળકને તરછોડી દેવાની હચમચાવી દેતી ઘટના,  ZEE 24 કલાકની મદદની અપીલ

ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર (gandhiangar) ના પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની છે. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું છે. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આવામાં ZEE 24 કલાક લોકોને અપીલ કરે છે કે બાળક વીશે કોઈને પણ માહિતી મળે તો અમારો સંપર્ક કરે. ફૂલ જેવા આ કુમળા બાળકને ન્યાય અપાવવો એ જ ZEE 24 કલાકની મૂહિમ છે. અનેક લોકો આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કેટલાક લોકો બાળકની સ્થિતિ જાણીને રડી પડ્યા હતા. તો રાજકોટના એક પૂજારીએ બાળકને દત્તક લેવાની તૈયારી બતાવી છે.

રઝળતા મળી આવેલા બાળકને હાલ સિવિલિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક તારણમાં તો બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. જેથી બાળકને પિડ્યાટ્રિક વિભાગમાં રાખવામાં આવશે. પરંતુ સવાલ એ થાય છે કે આવા કળિયુગી માતા-પિતા કોણ છે. ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતી હાલતમાં મૂકવા નિષ્ઠુર માતા-પિતાનો જીવ કેમ ચાલ્યો. અત્યાર સુધી પૂત્રની ઘેલછામાં બાળકીઓને ત્યજી દેવાની ઘટના બનતી હતી. પરંતુ હવે કળિયુગી માતા-પિતા બાળકોને પર રસ્તે રઝળતા કેમ છોડી રહ્યા છે. આખરે આ માસૂમનો શું વાંક છે. કેમ બાળકને રસ્તે રઝળતું મૂકવું પડ્યું. એવું તો શું થઈ ગયું કે રાતના અંધારમાં બાળકને આમ તરછોડવામાં આવ્યું. કોણ છે બાળકના માતા-પિતા. ક્યારે મળશે માસૂમને તેના માતા-પિતા. હાલ તો સમગ્ર ઘટનાને લઈ બાળકને મૂકી જનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પોલીસ પણ સીસીટીવીમાં દેખાતા શખ્સને શોધવા માટે કવાયત હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news