વરસાદ બાદ ખેતર જોઈને ખેડૂતો પોક મૂકીને રડી પડ્યા! ગુજરાત સરકારે કર્યું મોટું એલાન

Government Sahay To Farmers : SDRFના ધોરણ મુજબ ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે.... કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન.. કહ્યું કે, હેક્ટર દીઠ 6 હજાર 800 સહાય ચૂકવવામાં આવે છે....33 ટકાથી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે....

વરસાદ બાદ ખેતર જોઈને ખેડૂતો પોક મૂકીને રડી પડ્યા! ગુજરાત સરકારે કર્યું મોટું એલાન

Gujarati News : કમોસમી વરસાદથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને પારાવાર નુકશાની થઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 થી 28 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી હતી. બે દિવસ દરમ્યાન છૂટાછવાયા પડેલા વરસાદે ખેત પાકોને ભારે નુકશાન પહોંચાડ્યું છે. રવિપાકમાં વરસાદના કારણે કપાસ પલળી ગયો છે. જ્યારે બાજરી, જુવાર, ઘઉં, જીરું ચણા, સહિતના પાકને પણ માવઠાનો માર લાગ્યો છે. અચાનક કરા સાથે વરસેલા ભારે વરસાદના કારણે વાડી ખેતરોમાં ઊભા પાક ઢળી પડ્યા છે. ત્યારે હવે ગુજરાત સરકાર ખેડૂતોની મદદે આવી છે. સરકારે ખેડૂતોની નુકસાની સામે સહાય જાહેર કરી છે. 2 દિવસ પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકસાન થયું છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે... છેલ્લી વીણીમાં નુકસાન સામે આવ્યું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 28, 2023

 

હેક્ટર દીઠ આટલા ચૂકવાશે 
કૃષિ મંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કમોસમી વરસાદને પગલે કપાસ, તુવેર અને એરંડાના પાકને નુકસાન થયું છે. દિવેલા પાકનું ઉત્પાદન 7 લાખ હેકટરમાં નોંધાયેલું છે જેની કાપણી પૂર્ણ થઈ ચૂકી હતી. 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો 112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ, 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. કપાસમાં મુખ્ય ફાલ વીણાઈ ગયો છે, પરંતું છેલ્લી વીણીમાં નુકસાન સામે આવ્યું છે. ખેડૂતોને સહાય માટે કૃષિ મંત્રીએ કહ્યું કે, SDRFના ધોરણ મુજબ ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે. હેક્ટર દીઠ 6 હજાર 800 સહાય ચૂકવવામાં આવે છે. 33 ટકાથી વધુ નુકસાન હશે તો જ સહાય મળશે.

સરવે બાદ સહાયની જાહેરાત કરાશે 
તેમણે વધુમાં કહ્યું કે, 2 લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર છે. એક થી બે દિવસમાં વાદળા દૂર થઈ જશે. રવિ સીઝનમાં 15 થી 16 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું છે. આ વાવેતર હજુ પ્રારંભિક તબક્કામાં છે. જો વધુ વરસાદ પડે અને પાણી ભરાયેલું રહે તો નુકસાન જવાની ભીતિ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ મને ટેલિફોન તાત્કાલિક સર્વે કરવા આદેશ આપ્યો છે. આજે બપોરે ગાંધીનગરમાં મિટિંગ બોલાવી છે. સહાય અંગે આજની બેઠકમાં નીતિ નક્કી કરવામાં આવશે. સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે.

કૃષિ મંત્રીએ જણાવ્યું કે, 112 તાલુકાઓ એક ઇંચ વરસાદ પડ્યો છે. 86 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કપાસ, તુવેર અને એરંડા મોટું નુકસાન થયું છે. કપાસના પાકમાં છેલ્લી વીણી બાકી હોય તેમાં નુકશાન થયું છે. દિવેલાના પાકમાં મોટા ભાગે કાપણી થઈ ગઈ હતી. કપાસ,એરંડા અને તુવેરમાં 20 થી 25 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. રાઘવજીભાઈએ કહ્યું મોટા ભાગનો પાક ખેડૂતોએ લઈ લીધો હતો. જેમાથી ત્રણ થી ચાર લાખ હેક્ટરમાં નુકશાન થયું છે. ગુજરાત સરકારે છેલ્લાં 9 વર્ષમાં 10,700 કરોડની સહાય ચૂકવી છે. હજુ કુદરતી આફતોમાં ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news