જીગ્નેશ કવિરાજે કહ્યું મેં ભાજપના બહુ કાર્યક્રમ કર્યા પણ મને ટિકિટ ના આપી, હું ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડીશ

Gujarat Assembly Elections 2022: ખોટી વાત કરશો તો નઈ ગમે મને...! ગીતથી ખુબ જાણીતા બનેલાં ગાયક જીગ્નેશ કવિરાજને લાગ્યો રાજકારણનો રંગ. જીગ્નેશ કવિરાજે કહ્યું ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી વાળા બધા મને ઓળખે છે. મેં ભાજપના ઘણાં કાર્યક્રમો કર્યા પણ મને કોઈએ ટિકિટ ના આપી એટલે હું હવે જાતે જ મારા વતન ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડીશ. જીગ્નેશ કવિરાજે કહ્યુંકે, મેં નક્કી કર્યું હતુંકે, મારો સમય આવશે એટલું હું ચૂંટણી લડીશ. હવે મારો સમય આવી ગયો છે એટલે હું લડીશ.

જીગ્નેશ કવિરાજે કહ્યું મેં ભાજપના બહુ કાર્યક્રમ કર્યા પણ મને ટિકિટ ના આપી, હું ખેરાલુથી અપક્ષ ચૂંટણી લડીશ

સપના શર્મા, અમદાવાદઃ ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ-કોંગ્રેસ જેવા પરંપરાગત રાજકીય પક્ષોની સાથો-સાથ આ વખતે દિલ્લીથી આવેલી કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ થઈ છે. જેને કારણે આવખતે ગુજરાતમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. ત્યારે આ ત્રિ-પાંખિયા જંગમાં જમાવટ કરવાની તૈયારી કરી લીધી છે જાણીતા ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે. ખોટી વાત કરશો તો નઈ ગમે મને....જેવા અનેક ગુજરાતી ગીતો ગાઈને લોકોના દિલો પર રાજ કરનારા જીગ્નેશ કવિરાજને લાગ્યો છે રાજકારણનો રંગ.

ZEE 24 કલાક સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં જીગ્નેશ કવિરાજે જણાવ્યુંકે, હું આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જંપલાવી રહ્યો છું. ભાજપ-કોંગ્રેસ કે આપ દરેક પક્ષના લોકો મને ઓળખે છે. પણ હજુ મને કોઈએ ઓફર કરી નથી. મેં ભાજપના ઘણા કાર્યક્રમો કર્યા પણ મને કોઈએ ટિકિટ માટેની વાત ન કરતા મેં છેલ્લે અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. મારે મારા ગામ માટે મારા વતન માટે કંઈક કરવું છે તેથી હું મારા વતનથી ચૂંટણી લડવા માંગુ છું. તેથી આવખતે હું ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં ખેરાલુથી વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવીશ.

જીગ્નેશ કવિરાજે જણાવ્યુંકે, રાજકારણમાં જોડાવાનો વિચાર મને અચાનક નથી આવ્યો. જ્યારે પણ હું મારા ગામમાં મારા વતનમાં ખેરાલુમાં જતો ત્યારે મને ત્યાંના લોકો ત્યાંના વિસ્તાર માટે કંઈક કરવાની ઈચ્છા થતી હતી. નાનપણથી જ મને મારા ગામ પ્રત્યે કંઈક કરવાની ઈચ્છા છે. મને મારા વતને મારા ગામના લોકોએ ગાયક કલાકાર તરીકે સ્વીકાર્યો છે. મને આ ગામના લોકોએ મોટો બનાવ્યો. ત્યાંના લોકોની ઈચ્છા છેકે, હું ચૂંટણી લડું.

જીગ્નેશ કવિરાજે વધુમાં જણાવ્યુંકે, મેં મારા ગામના લોકોને મારા ચાહક વર્ગને વચન આપ્યું હતુંકે, જ્યારે મારો સમય આવશે ત્યારે હું ચૂંટણી લડીશ. આ વખતે હવે મને એવું લાગ્યું છેકે, હવે મારો સમય આવ્યો છે તો હું ચૂંટણી લડીશ. મેં ભાજપના ખુબ કાર્યક્રમો કર્યા છે. મેં ભાજપના ખુબ કાર્યક્રમ કર્યા છે. પણ મને હજુ કોઈ ઓફર આપી નથી ટિકિટ માટે. એટલે હું જાતે અપક્ષ ઉમેદવારી કરવા માંગું છું. બધા પક્ષ જોડે સંપર્કમાં છું. 

 

કવિરાજે વધુમાં જણાવ્યુંકે, હું બીજે થી પણ લડી શકું છું. મને મારા ગામ પ્રત્યે ખુબ લાગણી છે. એથી હું મારા ગામ માટે કંઈક સારું કરવા માંગું છું. મારે કોઈ એક સમાજનો ઝંડો લઈને ફરવું નથી. હું દરેક સમાજને સાથે લઈને ચાલીશ. 
અજમલજી ઠાકોર ત્યાં ધારાસભ્ય છે. પણ એમણે જેવા જોઈએ એવા ગામના કામો બહુ કર્યા નથી. મને મારા ચાહકોએ કહ્યું એટલે હું ત્યાં ચૂંટણી લડીશ.આગામી સમયમાં મારા વિસ્તારમાં હું કહીશ એ કામ કરી શકે તે પાર્ટીમાં હું જોડાઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news