GUJARAT CORONA UPDATE: કોરોનાને માત આપવામાં ગુજરાત અગ્રેસર, બીમારી સામે સાજા થતા દર્દીઓમાં સતત વધારો

રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે

GUJARAT CORONA UPDATE: કોરોનાને માત આપવામાં ગુજરાત અગ્રેસર, બીમારી સામે સાજા થતા દર્દીઓમાં સતત વધારો

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,017 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 15,264 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,78,397 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 80.94 ટકાએ પહોંચ્યો હતો. 

અત્યાર સુધીમાં 1,45,67,089 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલ સુધીમાં કુલ 1,43,79,365 લોકોનું રસીકરણ કરાયું હતું. જ્યારે આજે કુલ 1,87,724 લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરનું પ્રથમ ડોઝનું કુલ 18,47,156 અને હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરનું બીજા ડોઝનું કુલ 9,82,264 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝનું કુલ 86,22,560 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી વધુ ઉંમરના બીજા ડોઝનું કુલ 27,28,366 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 18 થી 45 વર્ષ સુધીના પ્રથમ ડોઝનું કુલ 3,86,743 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,27,483 એક્ટિવ દર્દી છે, જે પૈકી 804 લોકો વેન્ટિલેટર પર છે અને 1,26,679 લોકો સ્ટેબલ છે. 5,78,397 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,731 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત મહેસાણામાં 4, વડોદરામાં 4, રાજકોટમાં 3, સુરતમાં 5, જૂનાગઢમાં 5, અમરેલીમાં 2, બનાસકાંઠામાં 3, પંચમહાલમાં 3, જામનગરમાં 3, આણંદમાં 1, ભરૂચમાં 2, ગીર સોમનાથમાં 1, ખેડામાં 2, કચ્છમાં 4, મહિસાગરમાં 2, ગાંધીનગરમાં 2, પાટણમાં 1, સાબરકાંઠા 1, દેવભૂમી દ્વારકામાં 1, અરવલ્લીમાં 1, વલસાડમાં 1, દાહોદમાં 1 અને મોરબીમાં 1 દર્દીઓનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 102 દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news