GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 20 સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,263 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,43,934 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 20 સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,263 નાગરિકો કોરોનાને મ્હાત પણ આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 1,43,934 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 99 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટીલેટર પર છે. 97 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 12,13,263 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં 10,943 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. કુલ નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરતમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, દાહોદ અને ખેડામાં 1-1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1144 ને રસીનો પ્રથમ અને 21183 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 547 ને રસીનો પ્રથમ અને 4757 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 11799 ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 11954 ને રસીનો પ્રથમ અને 92550 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે કુલ 1,43,934 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,76,52,056 કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news