Gujarat Corona Update: નવા 968 નવા કેસ, 141 દર્દી સાજા થયા, 1નું મોત

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધીર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 141 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.22 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના 1,01,471 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
Gujarat Corona Update: નવા 968 નવા કેસ, 141 દર્દી સાજા થયા, 1નું મોત

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધીર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 141 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.22 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના 1,01,471 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

એક્ટિવ કેસની વાત કરીએ તો...
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં કુલ 4753 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 નાગરિકો વેન્ટીલેટર પર છે. 4747 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10120 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે વલસાડમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 2, 2022

નવા નોંધાયેલા કેસની વિગત
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 396, સુરત કોર્પોરેશન 209, વડોદરા કોર્પોરેશન 64, રાજકોટ કોર્પોરેશન 40, ખેડા 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશન 14, સુરત 14, ભરૂચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન 4-4, મહીસાગર 4, દેવભુમી દ્વારકા, મહેસાણા, મોરબી, તાપીમાં 3-3, બનાસકાંઠા, જામનગર, જામનગર કોર્પોરેશન, પંચમહાલ, સાબરકાંઠા 2-2 અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો છે. આ પ્રકારે કુલ 968 કેસ નોંધાયા છે. 

ઓમિક્રોનનાં નોંધાયેલા કેસની વિગતો

No description available.

રસીકરણના મોરચે સરકાર મજબુત...
જો રસીણકરની વાત કરીએ તો રાજ્યમા હેલથકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 1 ને રસીનો પ્રથમ અને 179  વર્કરને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2411 નાગરિકોની રસીનો પ્રથમ 20875 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9430 નાગરિકોને રસીનો પ્રથમ અને 68575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,96,88,888 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news