પત્ની અને સાસુના ત્રાસથી પતિએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું

કૃષ્ણનગર પોલીસે પત્ની અને સાસુ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 

પત્ની અને સાસુના ત્રાસથી પતિએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું

જાવેદ સૈયદ/અમદાવાદઃ શહેરમાં ચોંકાવનારી ઘટના બની છે. પત્ની અને સાસુના અત્યાચારથી કંટાળીને પતિએ અગ્નિસ્નાન કર્યું છે. પત્નીએ પોતાના પતિની વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ કરી અને પોતાના બાળકોને પિતાથી દૂક કરી દેતા લાચાર પિતાએ આપઘાત કરી લીધો છે. કૃષ્ણનગર પોલીસે પત્ની અને સાસુ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના કૃષ્ણનગરના આદર્શનગરમાં રહેતા ધર્મેન્દ્રના 12 વર્ષ પહેલા અનીશા સાથે લગ્ન થયા હતા. તેમને 10 વર્ષનો એક પુત્ર પણ છે. ધર્મેન્દ્રએ પત્ની અને સાસુના ત્રાસથી આપઘાત કરી લીધો છે. ત્યારે ધર્મેન્દ્રના માતા ન્યાયની માંગણી કરી રહ્યાં છે. 

ધર્મેશ અને તેની પત્ની વચ્ચે 12 વર્ષના લગ્નજીવનમાં મતભેદ વધી ગયા હતા. ત્યારબાદ બે વર્ષ પહેલા તેની પત્ની ઘર છોડીને જતી રહી હતી. પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવતા પોલીસે ધર્મેન્દ્રને જેલમાં મોકલી દીધો હતો. જેલમાંથી જામીન મળ્યા બાદ ધર્મેન્દ્ર દિકરાને મળતા માટે તેના સાસુના ઘરે ગયો પરંતુ પત્ની અને સાસુએ તેને મારીને ભગાડી દીધો હતો. દિકરાને મળવા ન દેતા ધર્મેન્દ્રને લાગી આવ્યું અને તેણે અગ્નિસ્નાન કરી લીધું હતું. તેના આપઘાત બાદ પત્ની અને સાસુ ફરાર થઈ ગયા છે. 

પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું કે, ધર્મેન્દ્ર સેલ્સમેનની નોકરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. પરંતુ આર્થિક સંકળામણ અને ઘર કંકાસના ઝઘડા વધતા પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. પત્નીના ત્રાસથી એક પતિએ આપઘાત કરી લેતા કૃષ્ણનગર પોલીસે પત્ની અને સાસુ વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news