સુશાંતસિંહ રાજપુત વિવાદ વડોદરા પહોંચ્યો, કંગનાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રણોતના સમર્થનમાં વડોદરા શહેરમાં પોસ્ટર લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  મહત્વનું છે કે અભિનેત્રી કંગના દ્વારા એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંહ રાજપૂતના હત્યારાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, તેવામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કંગનાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 
સુશાંતસિંહ રાજપુત વિવાદ વડોદરા પહોંચ્યો, કંગનાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર

હાર્દિક દીક્ષિત/વડોદરા : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સતત ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રણોતના સમર્થનમાં વડોદરા શહેરમાં પોસ્ટર લાગ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  મહત્વનું છે કે અભિનેત્રી કંગના દ્વારા એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, મહારાષ્ટ્ર સરકાર સુશાંત સિંહ રાજપૂતના હત્યારાઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, તેવામાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કંગનાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 

આ પોસ્ટરની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે. મહત્વનું છે કે કંગનાનું  સમર્થન કરતા પોસ્ટરમાં લખાયું છે કે, કંગના તુમ ડરો મત આર.પી.આઈ તુમ્હારે સાથ હે. આરપીઆઈ પાર્ટીએ એન.ડી.એનોજ એક ભાગ છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલું પોસ્ટર અભિયાન વડોદરા સુધી પોહોચ્યું છે. ત્યારે શુશાંત સિંહ રાજપૂતને લઈને મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news