‘ક્યાર બાદ હવે ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાનું સંકટ, જુઓ શું કહે છે આગાહી

ગુજરાત હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસરમાંથી બહાર આવ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે દસ્તક આપી રહ્યું છે. અરબી સમુદ્રમાં મહા (maha cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં મહા લક્ષદ્વીપ (lakshadweep) થી પસાર થવાની શક્યતા છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગુજરાત (Gujarat) માં પણ એલર્ટ જાહેર કરાયું છે. હાલ 80થી 90 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

‘ક્યાર બાદ હવે ગુજરાતના માથે ‘મહા’ વાવાઝોડાનું સંકટ, જુઓ શું કહે છે આગાહી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાત હજી પણ ક્યાર વાવાઝોડા (Kyar Cyclone) ની અસરમાંથી બહાર આવ્યું નથી, ત્યાં વધુ એક વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે દસ્તક આપી રહ્યું છે. અરબી સમુદ્રમાં મહા (maha cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં મહા લક્ષદ્વીપ (lakshadweep) થી પસાર થવાની શક્યતા છે. ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગુજરાત (Gujarat) માં પણ એલર્ટ જાહેર કરાયું છે. હાલ 80થી 90 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

લક્ષદ્વીપથી ઓમાન તરફ ફંટાશે
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં બે ચક્રવાત તોફાન સાથે ચાલી રહ્યાં છે. જેમાંથી એક આગામી 24 કલાકમાં લક્ષદ્વીપથી પસાર થશે. બુધવારે સાંજે તે મહા તોફાન બની ગયું છે. આ વિશે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્યાર વાવાઝોડાની અસર સોમવારે અને મંગળવારે સમગ્ર રાજ્યમાં જોવા મળી. બુધવારે ક્યાર વાવાઝોડું નબળુ પડ્યું હતું. જોકે તે ઓમાન તરફ ફંટાયું હતું. ત્યારે હવે મહા નામનું વાવાઝોડું સામે આવ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં લક્ષદ્વીપથી પસાર થશે. તેના બાદ તેની તીવ્રતા વધી જશે. ત્યારે તે લક્ષદ્વીપની આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવી છે.  

ઓમાન દ્વારા મહા નામ અપાયું
ઓમાન દ્વારા આ વાવાઝોડાને મહા નામ આપવામાં આવ્યું છે. આ મહા વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. હાલ તે 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. 6 કલાકમાં તે સિવીયર સાયક્લોન બની જશે. હાલ 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

ગુજરાતને અસર, ખેડૂતોને નુકશાન
વાવાઝોડાને કારણે વરસતા કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને મોટું નુકશાન થતું હોય છે. ત્યારે હાલ ક્યારને કારણે સોમવારે અને મંગળવારે વરસેલા વરસાદથી ખેડૂતોનો ઉભો પાક બળી ગયો હતો. હાલ ગુજરાતના અનેક ખેડૂતો અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યાં છે. ત્યારે હવા મહાનું સંકટ માથે ઉભુ છે, ત્યારે ખેડૂતોને પોતાનો પાક બચાવવાની કોઈ આશા દેખાતી નથી.  હાલ અરબી સમુદ્રમાં સક્રિય થયેલું વાવાઝોડું ક્યાર વાવાઝોડાની જેમ જ ઓમાન તરફ જવાની શક્યતા છે. ગુજરાત દરિયા કાંઠાવાળું રાજ્ય છે અને અરબી સમુદ્ર સાથે સીધી રીતે જોડાયું છે. તેથી દરિયા સાથે જોડાયેલા મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ગુજરાત જેવા રાજ્યોની તેની સીધી અસર થાય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news