ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ

ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની ઉંમરે નિધન થયું છે. 

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ

અમદાવાદઃ ગુજરાતના વરિષ્ઠ અને જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે દુખદ નિથન થયું છે. તેમના નિધનથી મીડિયા જગતમાં શોકની લાગણી થવાય છે. પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર દુખ વ્યક્ત કર્યું છે. ગુજરાતના પણ અન્ય રાજનેતાઓ અને મોટી હસ્તિઓ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે. 

મીડિયા જગતમાં 60 વર્ષ કર્યું કામ
પદ્મશ્રી ઝવેરીલાલ દલપતરામ મહેતા ગુજરાતના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. તેમણે અખબારોમાં 60 વર્ષ સુધી કામ કર્યું હતું. તેઓ પોતાની તસવીરો માટે માત્ર ગુજરાત જ નહીં દેશમાં પણ જાણીતા હતા. ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના યોગદાનને બિરદાવતા ભારત સરકારે 2018માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. 

પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, પીએમ મોદીએ એક્સ પર લખ્યું- 'ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુખદ છે. અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્ર એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. સદ્વતના આત્માને શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.. ઓમ શાંતિ.'

અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...

ૐ શાંતિ...!! pic.twitter.com/F1HvhfG5u8

— Narendra Modi (@narendramodi) November 27, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news