દામનગર: ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સહિત સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ

બોટાદની મહિલાને ગઢડાનાં જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને લાઠીના નારાયણવગર ગામનાં સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ દાકલ થઇ છે. મહિલાએ આ ત્રણેય સાધુઓ સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. મહિલાનો આક્ષેપ છે કે, ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત તથા સતદેવીદાસ આશ્રમના રઘુરામ ભગત મજૂરી કામના બહાને નારાયણગઢ ખાતે લઇ ગયા હતા અને દુષ્કર્મ આચર્યુ હતું. 
દામનગર: ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સહિત સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ

દામનગર : બોટાદની મહિલાને ગઢડાનાં જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને લાઠીના નારાયણવગર ગામનાં સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ દાકલ થઇ છે. મહિલાએ આ ત્રણેય સાધુઓ સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. મહિલાનો આક્ષેપ છે કે, ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત તથા સતદેવીદાસ આશ્રમના રઘુરામ ભગત મજૂરી કામના બહાને નારાયણગઢ ખાતે લઇ ગયા હતા અને દુષ્કર્મ આચર્યુ હતું. 

મહિલાએ ત્રણેય સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. તે બનાવ દોઢ વર્ષ પહેલા નારાયણગઢમાં બન્યો હતો. આજ સુધી મ હિલાએ આ ત્રણેય વિરુદ્ધ કોઇ ફરિયાદ દાખલ કરાવી નહોતી. હવે મહિલાએ હિંમત દાખવીને ત્રણેય સાધુઓ વિરુદ્ધ દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સાધુની ધરપકડ કરી લીધી અને નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ 7 વખત દુષ્કર્મ આચરાયું હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો. 

મહિલાનો આરોપ હતો કે, છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલાને નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમાં મજૂરી કામે બોલાવી મહિલાને રૂમમાં ગોંધી રાખી હતી. મહિલા પર ચોરીના ગુનામાં પકડાવી દેવાની ધમકી આફી તેને બોલાવીને તેના પર દુષ્કર્મ આચરતા હતા. ત્રણેય આરોપીઓ વારંવાર તે મહિલાને બોલાવીને વિવિધ ધમકીઓ આપીને તેના પર દુષ્કર્મ આચરતા રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news