VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીએ ZEE 24 કલાક સાથે કરી ખાસ વાત; હિંદુ રાષ્ટ્રની સ્થાપના અંગે સૌથી મોટું નિવેદન

આજે વડોદરામાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની બાગેશ્વર બાબાની મુલાકાત માટે પહોંચ્યા છે. તેમની સાથે બાબાએ પોતાના ગુજરાત પ્રવાસ અંગે વાત કરી છે. 

VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીએ ZEE 24 કલાક સાથે કરી ખાસ વાત; હિંદુ રાષ્ટ્રની સ્થાપના અંગે સૌથી મોટું નિવેદન

ઝી બ્યુરો/વડોદરા: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ છેલ્લા 10 દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને આજે વડોદરામાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની બાગેશ્વર બાબાની મુલાકાત માટે પહોંચ્યા છે. તેમની સાથે બાબાએ પોતાના ગુજરાત પ્રવાસ અંગે વાત કરી છે. 

બાગેશ્વર બાબાએ ગુજરાતીઓ વિશે વાતચીત કરી છે. જેમાં ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની સાથે તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના અંગે પણ વાત કરી છે. શું બાગેશ્વર બાબા એક ચોક્કસ સમુદાયના વિરોધી છે તેવો સવાલ પૂછાતાં તેનો પણ બાબાએ જવાબ આપ્યો છે. પહેલીવાર બાબા આ મુદ્દે ખુલીને બોલ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ જે પણ શહેરમાં જાય ત્યાં હિંદુ રાષ્ટ્રનો હુંકાર ભરી રહ્યા છે. 25મી મેના દિવસે પહેલીવાર બાગેશ્વર બાબા ગુજરાત આવ્યા હતા. અમદાવાદના વટવામાં તેમણે દેવકીનંદનજીની કથામાં હાજરી આપી હતી. જે બાદ તેમનો સુરતમાં દિવ્ય દરબાર લાગ્યો. અમદાવાદમાં પણ દિવ્ય દરબાર ભરાયો અને છેલ્લે રાજકોટમાં પણ તેમના દિવ્ય દરબારનું આયોજન થયું. 

નોંધનીય છે કે, વડોદરામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઇ રહ્યો છે. દિવ્ય દરબારનો લ્હાવો લેવા માટે શ્રદ્ધાળુઓ 12 વાગ્યાથી નવલખી મેદાનમાં ઉમટી પડ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં હજારોની સંખ્યામાં જનમની ઉમટી પડી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જીપમાં બેસીને દિવ્ય દરબાર સ્થળે પહોંચ્યા છે. લોકોએ મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને બાબા બાગેશ્વરનું સ્વાગત કર્યું.

સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઇએ
હિન્દુઓના હૃદયમાં હિન્દુ રાષ્ટ્રની માગ ઉઠવી જોઇએ. પાગલનો અર્થ મેન્ટલ નથી, પોતાની લગનમાં પરમાત્માને મેળવે તે પાગલ છે. સનાતનનો અર્થ એટલે પ્રાચીન, પુરાતન, ના આદી ના અંત, ધારણા, માનવતા. સનાતન કોઇ વિશેષ વ્યક્તિ માટે દરજા માટે વ્યવસ્થા નથી. સનાતન એટેલ વિશ્વ કલ્યાણ. ભારતનો સનાતન એક એવો ધર્મ છે જ્યાં ભારતના મંદિરોના ઘંટમાં જયકારો લાગે છે કે વિશ્વનું કલ્યાણ થાય. 

વિશ્વમાં શાંતિ બને. વસુધૈવ કુટુમ્બકમ આ એક સનાતન છે. હિન્દુ રાષ્ટ્રની કલ્પના ના રાજસત્તાથી ના ધર્મસત્તાથી પૂરી થાય એતો જનસત્તાથી થશે. હું લગ્ન કરવાનો છું પણ ક્યારે કરી એ હજી નક્કી નથી. ગુરૂ અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશે. સંવિધાનમાં હિન્દુ રાષ્ટ્ર માટે સંશોધન થવું જોઇએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news