'બાહુબલી' જેવી ટેકનોલોજીનો રથાયાત્રામાં ઉપયોગ! જાણો કેમ બનાવાઈ રહ્યો છે રથયાત્રા જેવો આબેહૂબ રૂટ

Rathyatra Root: પહેલીવાર ગુજરાતમાં રથયાત્રાનું 3D મેપિંગ! બાહુબલી જેવી ટેકનોલોજીથી ઊભો કરાશે આબેહૂબ રથયાત્રારૂટ. વીઆર ટેકનોલોજીથી ઉભા કરાયેલાં રૂટનું પોલીસ નિરિક્ષણ કરશે. એના આધાર પર પોલીસ રેકોર્ડિંગથી આખા રૂટની સમજ આપશે.

'બાહુબલી' જેવી ટેકનોલોજીનો રથાયાત્રામાં ઉપયોગ! જાણો કેમ બનાવાઈ રહ્યો છે રથયાત્રા જેવો આબેહૂબ રૂટ

Rathyatra Root 3D Mapping/ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની યાત્રાએ કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. આખોય વર્ષ ભક્તો ભગવાનના દર્શને જતાં હોય છે. અષાઢી બીજના દિવસે એક દિવસ ભગવાન ખુદ સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. જેને રથયાત્રા કહેવામાં આવે છે. રથયાત્રામાં એક સાથે લાખો લોકો સામેલ થતા હોય છે. તેથી પોલીસ તંત્ર માટે પણ આ એક મોટો પડકાર અને નવા નિમાયેલાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ માટે આ પ્રસંગમાં સુરક્ષાનું સંચાલન એક અભ્યાસનો વિષય બની રહે છે. ત્યારે ગુજરાતમાં પહેલીવાર હવે આખાય રથયાત્રા રૂટનું થ્રીડી મેપિંગ કરવામાં આવશે.

તમને બાહુબલી ફિલ્મ તો જરૂર યાદ હશે. જેમાં બાહુબલીનો ભાઈ ભલ્લાલ દેવ જે એક મોટો સાંઢ સાથે યુદ્ધ કરે છે. તે અસલી નથી હોતો બલ્કે નકલી હોય છે. જેને વીએફએક્સ અને વીઆર થ્રીડી ઈફેક્ટથી બનાવવામાં આવ્યો હોય છે. કંઈક આવી જ ટેકનોલોજીનો ઉપયોગ હવે ગુજરાત સરકાર કરવા જઈ રહી છે. ગુજરાતમાં પહેલીવાર રથયાત્રા રૂટનું થ્રીડી શૂટિંગ કરવામાં આવશે. આ થ્રીડી મેપિંગમાં રથાયાત્રાના સમગ્ર રૂટ જેવો જ આબેહૂબ રૂટ ઉભો કરવામાં આવશે. વીઆર ટેકનોલોજીથી ઉભા કરાયેલાં રૂટનું પોલીસ નિરિક્ષણ કરશે. એના આધાર પર પોલીસ રેકોર્ડિંગથી આખા રૂટની સમજ આપશે.

આ વખતની રથયાત્રામાં શું નવું હશે?

  • રથયાત્રાના રૂટનું 3D શૂટિંગ
  • પ્રથમ વખત રથયાત્રાનું 3D મેપિંગ
  • VR ટેક્નોલોજીથી આખો રૂટ આબેહૂબ ઊભો કરાશે
  • રેકોર્ડિંગથી પોલીસને રૂટ સમજાવાશે
  • હાઈ ટેક કેમેરા સર્વેલન્સ ડ્રોનની મદદથી ઉપયોગ કરાશે
  • દરેક ધાબું 3D ડ્રોન અને વર્ટિકલથી શૂટિંગ કરાશે
  • વીઆર બોક્સની મદદથી આખો રૂટ જાણી શકાશે
  • રથયાત્રાના રૂટનું માઇક્રો એનાલિસિસ કરાશે

આ પણ ખાસ વાંચોઃ  Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફઆ પણ ખાસ વાંચોઃ  કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
​આ પણ ખાસ વાંચોઃ  Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!

કેમ કરવામાં આવી રહ્યું છે રથયાત્રા રૂટનું થ્રીડી મેપિંગ?
રથાયાત્રામાં એક સાથે લાખો લોકો સામેલ થતાં હોય છે જેને પગલે સુરક્ષાનો મોટો પ્રશ્ન રહે છે. જેના કારણે રથયાત્રાના માર્ગમાં ખૂણે ખૂણે શું છે અને તેની કઈ રીતે વ્યવસ્થા કરવી? ક્યાં બંદોબસ્ત જરૂર છે? ક્યાં શું સ્થિતિ સર્જાઈ શકે છે તે જોઇ શકાશે. આ વખતની રથયાત્રા ટેક્નોલોજીથી પણ સજ્જ હશે અને તે એક મોડલ બનશે.

ઉલ્લેખનીયછેકે, ગુજરાતની સૌથી મોટી જેની વિશ્વભરમાં નામના છે એવી રથયાત્રા આગામી દિવસોમાં અમદાવાદના માર્ગો પરથી નીકળશે. તે સમયે હાથી, ઘોડા, પાલખી અને તમામ ઝાંખીઓ સાથે હજારો પોલીસ બંદોબસ્તની વચ્ચે ભગવાન જગન્નાથનો રથ નિશ્ચિત રોડ પરથી નીકળવાનો છે. જેના કારણે અગાઉથી જ રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ આ વખતે પ્રથમ વખત રથયાત્રાનું વર્ચ્યુઅલ રીયાલિટી મોડલ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં એક્સપર્ટની સાથે અમદાવાદ સાયબર ક્રાઈમ રથયાત્રાના આખા રૂટનું વીઆર રેકોર્ડિંગ કરીને તેને આબેહૂબ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news