નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ઉપરવાસમાંથી 1 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ડેમની સપાટી 134.62  મીટર છે

નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક

જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ઉપરવાસમાંથી 1 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ડેમની સપાટી 134.62  મીટર છે અને ડેમ ના 10 દરવાજા 2.5 મીટર ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમના ખોલવામાં આવેલા દરવાજામાંથી 1 લાખ 70 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેને કારણે કેવડિયાનો ગોરા બ્રિઝ છેલ્લા 15 દિવસથી વાહનવ્યહાર માટે બંધ કરાયો છે. ડેમમાં હાલ 4590 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને RBPHના તમામ પાવર હાઉસ ચાલુ છે. જયારે CHPHના 3 ચાલુ કરાયા છે. કરોડોનું વીજ ઉત્પાદન હાલ ચાલી રહ્યું છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news