CM રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ

જળ ક્રાંતિનું આ અભિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સુરેન્દ્રનગરના સમગ્ર વિસ્તારને તૃપ્ત કરશે અને ખેતી માટે પીવા માટે પાણી મળી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો.

CM રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ

અમગાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ પાંચાળ ભૂમિ સુરેન્દ્રનગરથી કરાવ્યો છે. જળ ક્રાંતિનું આ અભિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સુરેન્દ્રનગરના સમગ્ર વિસ્તારને તૃપ્ત કરશે અને ખેતી માટે પીવા માટે પાણી મળી રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો. આ વર્ષે સમગ્ર રાજ્યમાં આ જળ અભિયાન લોક ભાગીદારીથી મિશન મોડમાં ઉપાડીને જળ સંકટ દૂર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિજય ભાઈ રૂપાણીએ આ અભિયાનથી ગુજરાતને સાચા અર્થમાં સુજલામ સુફલામ મલયજ શિતલામ બનશે એમ પણ ઉમેર્યું હતું.

સુજલામ સુફલામના આ અભિયાનની મુખ્ય વિશેષતાઓ આ પ્રમાણે છે.
- સમગ્ર રાજ્યમાં કુલ આશરે 13834 કામો રૂ. 33009 લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે, જેમાંથી આશરે 14000 લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે.
- લોકભાગીદારીથી આશરે 3524 તળાવો/ ચેકડેમો/ જળાશયો ઉંડા ઉતારવા/ ડીસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે.
- લોકભાગીદારીથી હાથ ધરવાના કામો માટે માટી/ મુરમના ખોદાણના ભાવ રૂ. 30 પ્રતિ ઘન મીટર નક્કી કરવામાં આવેલ છે, જેમાંથી 60 ટકા રકમ સરકારશ્રી તથા 40 ટકા રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ/ દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે
- મનરેગા યોજના હેઠળ 4238 તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેતતલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશે.
- રાજ્યમાં આશરે 184 નવા તળાવો બનાવવાનું આયોજન છે.
- અભિયાન હેઠળ જ્યાં સરકારી ખરાબાની જમીન ઉપલબ્ધ હોય ત્યાં પાણીના આવરા બાબતની ખરાઇ કરી તળાવ માટેની જમીન માટે 7/12માં તબદિલ કરવાની કામગીરી પૂર્ણ કરી જીલ્લાવાર નવા તળાવોનું બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
- હયાત તળાવોના વેસ્ટવિયરની મરામતના 220 કામો તથા ચેકડેમ મરામતના 1104 કામો વિભાગીય રીતે હાથ ધરવાનું આયોજન છે.
- નર્મદા તેમજ અન્ય સિંચાઇ યોજનાઓના નહેર નેટવર્કની આશરે 1700 કિ.મી. લંબાઇની નહેરોમાં સાફ સફાઇ તેમજ 740 કિ.મી. લંબાઇની કાંસની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્યની જુદી જુદી નદીઓને મનરેગા યોજના હેઠળ પુન: જીવીત કરવાની કામગીરી
- શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં રેઇન વૉટર હાર્વેસ્ટીંગ તેમજ નદીઓ-તળાવોમાં આવતુ પ્રદુષિત પાણી અટકાવવાની કામગીરી તથા તળાવ ચેકડેમ ડી-સીલ્ટીંગ વગેરે મળીને કુલ 651 કામો હાથ ધરવાનુ આયોજન છે.
- નદી કાંઠાઓ પર વૃક્ષારોપણની કામગીરી/ વન વિસ્તારમાં ચેકડેમ/ વન તલાવડી/ કન્ટુર ટ્રેન્ચ/ ચેકડેમ રીપેરીંગ/ ચકડેમ ડી-સીલ્ટીંગ/ તળાવ ઉંડા કરવા વગેરે મળીને કુલ 1070 કામો હાથ ધરવાનુ આયોજન છે.
- આ તમામ કામગીરી માટે આશરે 5000થી વધુ જેસીબી/ હિટાચી/ પોકલેન તથા 18000થી વધુ ટ્રેક્ટર/ ડમ્પરનો ઉપયોગ થનાર છે.
- સુજલામ સુફલામ જળ અભિયાનથી જળ સંગ્રહમાં આશરે 14000 લાખ ઘન ફૂટ જથ્થામાં વધારો થશે.
- ખોદકામ તથા ડીસિલ્ટીંગની કામગીરીથી નીકળનાર માટી/કાંપનો ઉપયોગ ખેડૂતોના ખેતરોમાં તથા સરકારના અન્ય વિકાસના કામોમાં થશે.
- પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવશે.
- સ્થાનિક કક્ષાએ ઘરગથ્થુ વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્યાઓ હલ થશે
- સિંચાઇ વ્યવસ્થા સુદ્રઢ થશે
- ખેત ઉત્પાદનમાં વધારો થશે.
- પર્યાવરણમાં સુધારો થશે.
- પાણીનો બગાડ મહદઅંશે ઘટશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news