જામનગર: જીજાએ સાળીને કહ્યું ચાલ રૂમમાં સ્વર્ગ દેખાડું, અચાનક સ્વર્ગમાં પત્ની આવી ચડી અને...

જામનગરમાં એક વિચિત્ર કહી શકાય તેવી પ્રેમકથા સામે આવી હતી. જો કે આ પ્રેમકથાનો અંજામ કરૂણ આવ્યો હતો. મોડપર ગામના એક શ્રમિક ખેડૂતને પોતાની સાળી સાથે અનૈતિક સંબંધો હતા. જેની જાણ તેની પત્નીને થતા તેણે પતિને ઠપકા આપ્યો હતો. જો કે આ મુદ્દે લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.
જામનગર: જીજાએ સાળીને કહ્યું ચાલ રૂમમાં સ્વર્ગ દેખાડું, અચાનક સ્વર્ગમાં પત્ની આવી ચડી અને...

જામનગર : જામનગરમાં એક વિચિત્ર કહી શકાય તેવી પ્રેમકથા સામે આવી હતી. જો કે આ પ્રેમકથાનો અંજામ કરૂણ આવ્યો હતો. મોડપર ગામના એક શ્રમિક ખેડૂતને પોતાની સાળી સાથે અનૈતિક સંબંધો હતા. જેની જાણ તેની પત્નીને થતા તેણે પતિને ઠપકા આપ્યો હતો. જો કે આ મુદ્દે લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી.

જામનગરના મોડપર ગામની સીમમાં એક વાડીમાં રહીને ખેત મજુરી કરે છે. નરસિંગ ઉર્ફે નરેશ અમરસિંહ ડાવરીયા નામનો 28 વર્ષીય પરપ્રાંતીય આદિવાસી શ્રમિક યુવાન પોતાની વાડીમાં એક ઝાડની ડાળીમાં દોરડુ બાંધી ગળેફાંસો દ્વારા આત્મહત્યા કરી હતી. પોતાની સાળી સાથેના અનૈતિક સંબંધોની જાણ તેની પત્નીને થઇ હતી. જેથી તેણે પોતાના પતિને ઠપકો આપ્યો હતો. જો કે પતિને આ મુદ્દે લાગી આવતા તેણે વાડીમાં ઝાડની ડાળી સાથે દોરડુ બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. 

મૃત્યુ પામનારના નરસિંગ ઉર્ફે નરેશ પોતાની પત્ની અને પાંચ સંતાનો સાથે વાડીની ઓરડીમાં જ રહે છે. તેની સાથે તેની સાળી પણ રહે છે. નરેશને પોતાની સાળી સાથે આંખ મળી ગઇ હતી. જેથી બંન્ને અનેક વખત એકાંતમાં સમય પસાર કરતા હતા. જો કે એક વખત પત્ની બંન્નેને જોઇ જતા બંન્નેને ઠપકો આપ્યો હતો. જેથી નરેશ પોતાનું ઘર છોડીને જતો રહ્યો હતો. વહેલી સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે માહિતી મળતા જામનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news