GUJARAT CORONA UPDATE: આજે પણ ફરીથી કેસ વધ્યા, જાણો અમદાવાદમાં કેમ વધી રહ્યું છે જોખમ

હાલ રાજ્યમાં કુલ 91 એક્ટિવ કેસ છે. જો કે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 91 નાગરિકો સ્ટેબલ છે. 12,13,149 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

GUJARAT CORONA UPDATE: આજે પણ ફરીથી કેસ વધ્યા, જાણો અમદાવાદમાં કેમ વધી રહ્યું છે જોખમ

ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,149 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીનાં કુલ 88,932 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

હાલ રાજ્યમાં કુલ 91 એક્ટિવ કેસ છે. જો કે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 91 નાગરિકો સ્ટેબલ છે. 12,13,149 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી નિપજ્યું જે રાહતના સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, અમદાવાદમાં 1, રાજકોટકોર્પોરેશનમાં 1,વડોદરા કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયા છે.

No description available.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1227 નાગરિકોને રસીનો પ્રથમ અને 14574 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 294 ને રસીનો પ્રથમ અને 3188 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 11714 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 7696 ને રસીનો પ્રથમ અને 50239 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 88,932 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,68,70,822 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news