પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ! પિતા-પુત્રનું મોત, આ જિલ્લામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતાનો ભોગ લેવાયો

Aravalli: માલપુરના મેવડા પંથકમાં પ્રેમસબંધમાં બેના મોત થયા છે. યુવક અને યુવતી પ્રેમ સબંધમાં ભાગી જતા આ ઘટના બની છે. યુવતીના પરિવારજનોના ત્રાસથી યુવકના પિતાએ આપઘાત કરી લીધો છે.
 

પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ! પિતા-પુત્રનું મોત, આ જિલ્લામાં પુત્રના પ્રેમ પ્રકરણમાં પિતાનો ભોગ લેવાયો

સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામે પ્રેમ પ્રકરણ માં પિતા અને પુત્ર નું મોત નીપજ્યું છે. આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

અરવલ્લી જિલ્લામાં સતત પ્રેમપ્રકરણમાં મોતની ઘટના સામે આવી રહી છે, ત્યારે માલપુરના મેવડા ગામે પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રની મોતની ઘટના સામે આવી છે. વાત કરવામાં આવે તો 16 ઓગસ્ટના દિવસે મેવડા ગામના જ બે પ્રેમી પંખીડા ભાગી ગયા હતા, જ્યાં યુવતી હતી તે સગીર વયની હતી. જ્યાં સગીરાના પિતાએ આરોપી ભગાવી જનાર સામે પોકસો હેઠળ ફરિયાદ આપીને ગુન્હો નોંધાવામાં આવ્યો હતો.

24 ઓગસ્ટના રોજ સગીરાને ભગાવી લે જનાર વિશાલ ચમારના પિતા સોમભાઈ ચમારની ઘરમાંથી લાશ મળી આવી હતી, ત્યારે એ વાતને બે દિવસ વીત્યા અને આજે મેવડા માલપુર રોડથી સગીરાને ભગાવી લે જનાર યુવક વિશાલ ચમારની પણ લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. 

આ વાત સગીરાને માલુમ પડતા સગીરા પણ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હવે આ પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રના મોત મામલે માલપુર પોલીસે 6 લોકો સામે દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરી છે અને માલપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news