વંદેભારત ટ્રેનને વલસાડ પાસે ફરી અકસ્માત, મોટી દુર્ઘટના થતા રહી ગઈ

Vandebharat Train Accident : વંદેભારત ટ્રેનને ફરીએકવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા ગાડીના આગળના ભાગને મોટું નુકસાન થયું

વંદેભારત ટ્રેનને વલસાડ પાસે ફરી અકસ્માત, મોટી દુર્ઘટના થતા રહી ગઈ

Vandebharat Train Accident : વંદે ભારત ટ્રેન જ્યારથી પાટા પટથી દોડતી થઈ છે ત્યારથી તેને અકસ્માતોનું ગ્રહણ લાગ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપ્યા બાદ વંદેભારત ટ્રેનના અકસ્માતો સતત ચર્ચામાં રહ્યાં છે. ત્યારે વંદેભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડ વાપી પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઈ હતી. તેથી થોડા સમય સુધી ટ્રેન રોકવામાં આવી હતી. જોકે, વંદે ભારત ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજ્યું હતું. તેથી ગાયના મૃતદેહને ટ્રેક પરથી દુર કરી ફરી ટ્રેનને મુંબઈ તરફ રવાના કરાઇ હતી. આ અકસ્માતથી વંદેભારત ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયુ હતું. પરંતું મોટી દુર્ઘટના ટળી હતી. અવારનવાર વંદે ભારત ટ્રેનની અડફેટે પશુઓ આવતા અકસ્માતો સર્જાય છે. 

ઉદઘાટન બાદથી વંદેભારત ટ્રેન પાટા પર દોડાવવી મુશ્કેલ બની છે. આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડ્યો છે. આ કારણે વંદેભારત ટ્રેનનો અકસ્માત સતત ચર્ચામાં રહે છે. ત્યારે હવે આ અકસ્માતો રોકવા માટે તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો હતો. અકસ્માત રોકવા સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે તેવો નિર્ણય લેવાયો હતો. છતા અકસ્માતોનો સિલસિલો ચાલુ જ છે. આજે ફરી વલસાડ પાસે ટ્રેનને ગાય અથડાઈ હતી. વારંવાર થતા અકસ્માતોથી મુસાફરોના જીવ જોખમી બની શકે છે. 

રખડતા ઢોરોને કારણે થયા તમામ અકસ્ાત
ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, હવે ટ્રેન સાથે અકસ્માત થઈ રહ્યાં છે. અત્યાર સુધી રોડ પર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર માણસોને અડફેટે લેતા હતા. ત્યારે હવે રખડતા ઢોરો ટ્રેનોને અથડાઈ રહ્યાં છે. જો અકસ્માત મોટો હોય તો ટ્રેનમાં સવાર હજારો મુસાફરોના જીવનું જોખમ બની શકે છે. ત્યારે અનેકવાર વંદેભારત ટ્રેન સાથે આ અકસ્માત બની રહ્યાં છે. 

બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે
વંદે ભારત ટ્રેન સાથે વારંવાર પશુ અથડાવવાની ઘટનાઓ રોકવા રેલ્વે વિભાગનો મોટો નિર્ણય લીધો કે, સુરતથી અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. 140 કરોડના ખર્ચે 170 કિમીના અંતરમાં રેલવે લાઈનની બંને બાજુ થ્રી લેયર મેટલ ક્રેશ બેરિયર લગાવાશે. વડોદરા ડિવિઝન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. મેટલ બેરિયરની કામગીરી માટે 15 કંપનીઓએ ટેન્ડર ભર્યા છે. 2023 માં આ કામ પૂરું કરવાનું આયોજન છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news