Corona ની રસી લીધા બાદ શરાબ કે સ્મોકિંગ બની શકે છે મોતનું કારણ, જાણો નિષ્ણાતોના મતે શું ખાવું અને શું ન ખાવું

કોરોનાથી બચવા વેક્સિન લેવી અતિઆવશ્યક છે. જોકે, વેક્સિન લેતા પહેલાં અને લીધાં પછી કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે. શું ખાવું અને શું ન ખાવું તે પણ ખુબ જ મહત્ત્વનું બની રહી છે.

Corona ની રસી લીધા બાદ શરાબ કે સ્મોકિંગ બની શકે છે મોતનું કારણ, જાણો નિષ્ણાતોના મતે શું ખાવું અને શું ન ખાવું

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશ અને દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરના કારણે સ્થિતિ ખુબ જ ગંભીર બનતી જાય છે. પહેલાંની સમખામણીએ હવે કોરોનાનો વાયરસ વધુ ઘાતક બનીને સામે આવ્યો છે. એજ કારણ છેકે, ઝડપથી વધુને વધુ લોકો આ વાયરસનો શિકાર બની રહ્યાં છે. દિન-પ્રતિદિન કોરોનાને કારણે મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાની બચવા માટે માસ્ક અને વેક્સીન બન્ને અનિવાર્ય છે. જોકે, એ વાત પણ જાણી લેવી જોઈએકે, વેક્સીન લેતા પહેલાં અને વેક્સીન લીધાં પછી શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. જો તેની તકેદારી રાખવામાં નહીં આવો તો થઈ શકે છે મોટું નુકસાન.

નિષ્ણાતોના મતે પાછલા વર્ષની તુલનામાં આ વખતે કોરોના વાયરસની લહેર વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. જેથી હવે દરેક લોકો વેક્સિન લગાવવા તૈયાર થઈ રહ્યાં છે. જોકે ઘણા લોકો વેક્સિન લગાવ્યા બાદ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. એ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છેકે, વેક્સીન લીધા બાદ પણ જો કોરોનાનું સંક્રમણ થાય તો તેનો ખતરો થોડો ઘટી જાય છે. જોકે, વેક્સિન લેતા પહેલાં અને લીધાં પછી કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે. શું ખાવું અને શું ન ખાવું તે પણ ખુબ જ મહત્ત્વનું બની રહી છે.

વેક્સિન લીધા પછી ડાયટમાં સામેલ કરો આ ચીજો
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં જણાવ્યા અનુસાર કોરોના વેક્સિન લગાવ્યા બાદ જ્યાં સુધી સંભવ હોય સ્વસ્થ અને સંતુલિત ડાયટનું સેવન કરો. તેમાં આખું અનાજ, ફણગાવેલા ચણા અને ફાઈબરથી ભરપૂર ચીજો સામેલ કરો. જેનાથી તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ બની રહે.

આ વસ્તુઓના સેવન પર લગાવો બ્રેક
વેક્સિન લગાવતા પહેલા સેચ્યુરેટેડ ફેટ અને વધારે માત્રામાં શુગર વાળા એટલે કે મીઠી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઇએ. કારણ કે તે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડીને સ્ટ્રેસ તથા એંગ્જાઈટી વધારી શકે છે. અમેરિકાના સીડીસી (સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એંડ પ્રીવેન્શન) નું માનવામાં આવે તો તણાવ અથવા ઊંઘ યોગ્ય રીતે ન થવા પર અમુક લોકોને વેક્સિન બાદ પરેશાની આવી શકે છે. એટલા માટે યોગ્ય રહેશે કે વેક્સિન પહેલા શુગર યુક્ત આહાર ન લેવો જોઈએ અને પર્યાપ્ત ઊંઘ જરૂરથી લેવી જોઈએ.

શરાબ અને સ્મોકિંગ બની શકે છે મોતનું કારણ
વેક્સિન લગાવ્યા બાદ શરાબનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં. કારણ કે તેના કારણે ડીહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમી થવાની સમસ્યા બની શકે છે તથા સ્મોકિંગ કરવું નહીં. કારણકે સિગારેટનો ધુમાડો પણ વેક્સિનની સાઈડ ઈફેક્ટનો ખતરો વધારી શકે છે. આલ્કોહોલ રિસર્ચના નામનાં જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીનું માનવામાં આવે તો રસી લગાવ્યા બાદ શરાબ પીવાથી તમારી ઇમ્યુનિટી કમજોર થઈ શકે છે. એટલા માટે તેનાથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં વેક્સિન લીધા બાદ શરાબનું સેવન મોતને પણ નોતરું આપી શકે છે.

ભરપુર પાણી અને હાઇડ્રેટિંગ ફૂડ્સ
આવનારા દિવસોમાં જો તમે વેક્સિન લગાવવાના છો તો નિયમિત રૂપથી ખૂબ જ પાણી પીવાની સાથે સાથે તરબૂચ અને કાકડી જેવી વસ્તુઓનું સેવન કરો. આ પ્રકારના ફ્રુટ તમારા શરીરને હંમેશાં હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. સાથોસાથ બોડીમાં ફાઈબર પણ મળે છે. તેનાથી વ્યક્તિને લીધે થતી સાઇડ ઇફેક્ટ થવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી થઈ જાય છે.

હેલ્ધી ડાયટ લેવું છે સૌથી જરૂરી
બ્રિટિશ જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક સ્ટડી અનુસાર કોરોના કાળમાં શરીરને તંદુરસ્ત જાળવી રાખવા માટે હેલ્ધી ઈટીંગ હેબિટ્સ હોવી જરૂરી છે. જો તમે કોરોના વેક્સિન લગાવવા જઈ રહ્યા છો, તો પ્રોસેસ્ડ, હાઇ સેચ્યુરેટેડ ફેટ અને કેલરી વાળા ભોજનને એવોઇડ કરવું અને તેના બદલે હેલ્દી તથા દલિયો, ઓટ્સ અને ઘઉં જેવી ફાઇબર રીચ ચીજોને ડાયટમાં સામેલ કરવી જોઈએ.

(નોંધ- આ આર્ટીકલમાં જનરલ અને કોમન માહિતી આપવામાં આવી છે, જોકે, વેક્સિન લીધાં પછીના ડાયટ પ્લાન અંગે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news