હંમેશા લાલ રહેતી આંખો આ સમસ્યાનો હોઈ શકે છે સંકેત! ઇગ્નોર કરવાની ભૂલ ન કરતા

કેટલાક લોકોની આંખો હંમેશા લાલ રહે છે. આના ઘણા કારણો પણ હોઈ શકે છે. ઈન્ફેક્શન, ઊંઘ ન આવવી અથવા ડિહાઈડ્રેશન.. આંખની સપાટી પર બ્લડ સર્ક્યુલેશનમાં ઘણા ફેરફારો થતા રહે છે. જેના કારણે આંખો લાલ થઈ જાય છે. આંખ લાલ થયા પછી તેમાં બળતરા અને સોજાની સમસ્યા પણ થઈ શકે છે.

હંમેશા લાલ રહેતી આંખો આ સમસ્યાનો હોઈ શકે છે સંકેત! ઇગ્નોર કરવાની ભૂલ ન કરતા

Red Eye: કેટલાક લોકોને આ સમસ્યા હંમેશા રહે છે. લાલ આંખો પાછળનું સૌથી મોટું કારણ ખરાબ આહાર અને જીવનશૈલી છે. જે લોકો ધૂમ્રપાન કરે છે અને આલ્કોહોલ પીવે છે તેમને આ સમસ્યા વધુ હોય છે. એવા લોકોની આંખો લાંબા સમય સુધી લાલ રહે છે. જો કોઈપણ વ્યક્તિની આંખો હંમેશા લાલ રહેતી હોય છે તો તેની અવગણના બિલકુલ ન કરવી જોઈએ, સમયસર તેનો ઈલાજ કરવો જોઈએ.

આંખો હંમેશા લાલ કેમ રહે  છે?
એલર્જી, ઈન્ફેક્શનને લગતી સમસ્યાઓના કારણે આંખો હંમેશા લાલ રહે છે. લાલ આંખની સમસ્યા આપોઆપ ઠીક થઈ જાય છે. બીજી તરફ, કેટલાક લોકો દવાઓનો ઉપયોગ કરીને સાજા થઈ જાય છે. જે લોકોની આંખો હંમેશા લાલ રહે છે તેઓએ ડોક્ટરની ખાસ સલાહ લેવી જોઈએ. અને તેની યોગ્ય સારવાર કરવી જોઈએ. લાલ આંખોની સમસ્યાને સામાન્ય ન સમજો. તે માઈગ્રેન, આંખની સમસ્યાઓ અને નબળી જીવનશૈલીના કારણે પણ હોઈ શકે છે. ધૂમ્રપાન અને વધુ પડતો આલ્કોહોલ પીવાને કારણે પણ આંખની સમસ્યા થઈ શકે છે.

ગ્લુકોમા
લાંબા સમય સુધી આંખ લાલ થવાની સમસ્યા ગ્લુકોમાની નિશાની છે. જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ ગ્લુકોમાની ખામીથી પીડિત છે, તો ભવિષ્યમાં તેની સમસ્યાઓ વધી શકે છે. જેના કારણે આંખોની રોશની પણ જઈ શકે છે. જો તમને પણ આંખની સમસ્યા છે, તો સમય બગાડ્યા વિના, ડૉક્ટરની સલાહ જરૂર લો.

એલર્જી
કેટલાક લોકોની આંખો એલર્જીને કારણે હંમેશા લાલ રહે છે. એલર્જી સામે લડવા માટે શરીરમાં હિસ્ટામાઈન રિલીઝ થાય છે. જેના કારણે આંખમાં હાજર રક્તવાહિનીઓ વધવા લાગે છે. અને પછી આંખો લાલ થઈ જાય છે.

બ્લેફરાઈટિસ
બ્લેફેરાઈટિસની સમસ્યાને કારણે ઘણીવાર આંખો પણ લાલ થઈ જાય છે. પલકોમાં સોજો અને બેક્ટેરીયલ ઇન્ફેક્શન આ કારણે પણ કેટલાક લોકોની આંખો વારંવાર લાલ રહે છે.

કોર્નિયલ અલ્સર
જે લોકોને કોર્નિયલ અલ્સર હોય છે, તેમની આંખો હંમેશા લાલ રહે છે. આ સમસ્યા ખૂબ જ ગંભીર છે તેના લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આંખોની રેડનેસ ઠીક કરવાના ઉપાય
કોઈપણ વ્યક્તિની આંખો હંમેશા લાલ રહેતી હોય તો તમારે કોઈપણ પ્રકારનો ઘરેલું ઉપચાર અથવા સ્વ-દવા લેતા પહેલા એકવાર ડૉક્ટરને જરૂર મળવું જોઈએ. કારણ કે આંખ ખૂબ જ સંવેદનશીલ બાબત છે, તેથી જાતે કંઈપણ કરવાનું ટાળો. આંખોને વારંવાર ચોળવાનું ટાળો. જો તમે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો છો, તો તેને સાફ રાખો. જો તમે કોમ્પ્યુટર કે લેપટોપ પર લાંબો સમય કામ કરો છો તો વચ્ચે બ્રેક લો નહીંતર સમસ્યાઓ ઘણી વધી શકે છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, તરીકા અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં પડ્યો ચોમાસા જેવો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ
કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, એકબીજા પર વાર-પલટવાર 
રાશિફળ 01 મે: આ 4 રાશિવાળાને ગ્રહ ગોચર કરાવશે અઢળક લાભ, ભોળાનાથની પણ અપાર કૃપા રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news