Uttarakhand Glacier Burst: અત્યાર સુધી 26 લોકોના મોત, 171 લોકો લાપતા

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમાર અનુસાર, આપદા બાદ હજુ સુધી 26 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે આશરે 171 લોકો લાપતા છે. તેમાંથી આશરે 35 લોકો સુરંગમાં ફસાયેલા હોવાની શક્યતા છે. 

Uttarakhand Glacier Burst: અત્યાર સુધી 26 લોકોના મોત, 171 લોકો લાપતા

ચમોલીઃ ઉત્તરાખંડ (Uttarakhand) માં રવિવારે આવેલી આપદામાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને હવે 26 થઈ ગઈ છે. અધિકારીઓએ સોમવારે મોડી સાંજે આંકડાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હજુ પણ 171 લોકો લાપતા છે, જેમાં આશરે 35 લોકો સુરંગમાં ફસાયાની આશંકા છે. તેને રેસ્ક્યૂ કરાવવા માટે રાહત બચાવની ચાર ટીમો સતત લાગેલી છે. 

પ્રભાવિત ગામોમાં પહોંડાવામાં આવી રહી છે મદદ
આ પહેલા ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં ઉત્તરાખંડ (Uttarakhand) ના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat) એ કહ્યુ હતુ કે ચમોલીમાં આવેલી આપદા ગ્લેશિયર ફાટવાને કારણે થઈ નથી. મુખ્ય સચિવને વાસ્તવિક કારણોની જાણકારી મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.  પરંતુ દુર્ઘટનાના કારણોની જાણકારી લગાવતા પહેલા વધુ જરૂરી અમારી પ્રાથમિકતા પ્રભાવિત લોકોને ભોજન અને અન્ય મદદ ઉપલબ્ધ કરાવવા પર છે. જે માટે અમે પ્રભાવિત ગામો વચ્ચે બીજીવાર સંપર્ક સ્થાપિત કરવાનું કામ કરી રહ્યાં છીએ. 

રવિવારે ચમોલીમાં થઈ હતી દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે રવિવારે ચમોલીમાં ગ્લેશિયર તૂટી (Uttarakhand Glacier Burst) નીચે વહી રહેલી ઋષિ ગંગા (Rishi Ganga) નદીમાં પડ્યુ હતું. જેથી તેમાં પૂર આવી ગયું. આ નદી પર 13.2 મેગાવોટ (MW) ક્ષમતાનો નાનો હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. પૂરને કારણે આ પ્રોજેક્ટને મોટુ નુકસાન પહોંચવાની સાથે નીચે જઈને ત્યાં ઘૌલીગંગા નદી પર બની રહેલામોટા પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચાડ્યું છે. જાણકારી પ્રમાણે લાપતા થયેલા લોકો આ બન્ને પ્રોજેક્ટોમાં ફસાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news