નિર્ભયા કેસઃ દોષીતોને એક સાથે ફાંસી પર લટકાવવામાં આવે કે નહીં, દિલ્હી HC કાલે આપશે ચુકાદો

નિર્ભયા કેસમાં બુધવારે દિલ્હી હાઈકોર્ટ નક્કી કરશે કે નિર્ભયાના ચારેય દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવે કે નહીં. બુધવારે બપોરે 2.30 કલાકે દિલ્હી હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપશે. 


 

નિર્ભયા કેસઃ દોષીતોને એક સાથે ફાંસી પર લટકાવવામાં આવે કે નહીં, દિલ્હી HC કાલે આપશે ચુકાદો

નવી દિલ્હીઃ નિર્ભયા બળાત્કાર અને હત્યા મામલામાં દિલ્હી હાઈકોર્ટ બુધવારે પોતાનો ચુકાદો આપશે. આ બાબતે કેન્દ્ર અને તિહાડ જેલ તંત્રએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ટ્રાયલ કોર્ટના તે નિર્ણયને પડકાર્યો છે જેમાં નિર્ભયા કાંડના દોષીતોની ફાંસી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. 

નિર્ભયા મામલામાં ચાર દોષીતોની ફાંસીની સજા પર અનિશ્ચિતકાળ પ્રતિબંધને પડકારતી કેન્દ્ર સરકારની અરજી પર દિલ્હી હાઈકોર્ટે રવિવારે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 

ચાર દોષીતો- વિનય, પવન, અક્ષય અને મુકેશ- પહેલા 22 જાન્યુઆરીએ સવારે ફાંસી આપવાની હતી અને બાદમાં આ સમયમાં ફેરફાર કરીને એક ફેબ્રુઆરીએ સવારે 6 કલાકે કરવામાં આવ્યો હતો. પરંતુ 31 ડિસેમ્બરે મુકેશ તરફથી ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને અન્ય દોષીતોએ હજુ સુધી પોતાના કાયદાકીય ઉપાયોગનો ઉપયોગ કર્યો નથી અને તેને અલગ-અલગ ફાંસી ન આપી શકાય. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news