Election Results: આ 1 વસ્તુ એક્ઝિટ પોલના પરિણામોને બદલી શકે છે, તેની અસર છેલ્લી ચૂંટણીમાં જોવા મળી હતી

Election Results 2022: ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવશે પરંતુ તે પહેલા આવેલા એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. 

Election Results: આ 1 વસ્તુ એક્ઝિટ પોલના પરિણામોને બદલી શકે છે, તેની અસર છેલ્લી ચૂંટણીમાં જોવા મળી હતી

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામને આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે. તે પહેલા Exit Pollમાં ઘણા દાવા કરવામાં આવ્યા છે. એક્ઝિટ પોલ જણાવે છે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. કયા રાજ્યમાં બહુમતીની સમસ્યા અટકી શકે છે. જોકે ઘણી વખત એક્ઝિટ પોલના પરિણામોથી અલગ ચૂંટણીના પરિણામો આવે છે અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં તમામ અનુમાન ખોટા સાબિત થયા હતા. 
એક્ઝિટ પોલના પરિણામો પર અલગ-અલગ અભિપ્રાયો બેઠકો અને મત ટકાવારીની ગણતરી એક્ઝિટ પોલ માટે નક્કી કરાયેલા સિદ્ધાંતો અને પ્રથા અનુસાર કરવામાં આવી છે, પરંતુ આ પછી પણ સ્થિતિ બહુ સ્પષ્ટ નથી. જો કે, તેમ છતાં, એક્ઝિટ પોલના પરિણામો જોયા પછી કેટલાક લોકો આશાવાદી છે, જ્યારે કેટલાક લોકો ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

ઓછા મતદાનથી હતાશા વધી-
ભારતના ચૂંટણી પંચના ભૂતપૂર્વ મહાનિર્દેશક અક્ષય રાઉતનું કહેવું છે કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં કોઈપણ પક્ષ જીતે પરંતુ છેલ્લા એક માસમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારોનો રસ જોઈને નિરાશા થઈ છે. કારણ કે મતદાનની ટકાવારી ઘણી ઓછી રહી છે. તેમણે કહ્યું કે પોસ્ટલ બેલેટની ગણતરી બાદ પણ મતદાનની ટકાવારીમાં નજીવો વધારો થશે.

ગત વર્ષની સરખામણીમાં કેટલું મતદાન-
આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા મતદાન થયું છે. જ્યારે 2017ની ચૂંટણીમાં આ રાજ્યોમાં 61 ટકા મતદાન નોંધાયું હતું. ઉત્તરાખંડમાં 2017ની બરાબર 65 ટકા મતદાન થયું હતું. જે 2012 કરતા ઓછો છે. તે જ સમયે, પંજાબમાં પણ છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે. 2012માં 78.2 ટકા મતદાન થયું હતું, જે 2017માં વધીને 77 ટકા થયું છે અને ત્યારબાદ 72 ટકા મતદાન નોંધાયું છે. આ વખતે ગોવામાં મતદાનની ટકાવારી પણ ઓછી રહી અને 78.94 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. ગત ચૂંટણીમાં કુલ 83 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જોકે, આ દરમિયાન મણિપુરમાં મતદાનની ટકાવારી વધી છે અને ગત વખત કરતાં 2.2 ટકા વધુ 88.9 ટકા મતદાન થયું છે.

ઓછા મતદાનને કારણે એક્ઝિટ પોલના પરિણામો પલટાશે?
સરકારના કામથી લોકો નારાજ છે કે ખુશ છે  તેનો અંદાજ કાઢવા માટે મતદાનની ટકાવારીનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લી 3 ચૂંટણીઓનું વિશ્લેષણ કરીએ તો તે સમજાયા છે કે, જ્યારે પણ વોટની ટકાવારીમાં વધારો થયો છે ત્યારે તે સમયના વિરોધ પક્ષોને ફાયદો થયો છે. 2017ની યુપી ચૂંટણીમાં 1.6 ટકા વોટીંગ વધ્યું હતું જેથી ભાજપને ફાયદો થયો હતો. જો કે, હવે પ્રશ્ન એ છે કે શું આ વખતે મતદાનની ઓછી ટકાવારી એક્ઝિટ પોલના પરિણામોને ઉલટાવી દેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news