Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, એક દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 41,18,46,401 ડોઝ અપાયા છે. 

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, એક દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: ભારતમાં આજે કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 30 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 374 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

નવા 30 હજાર જેટલા કેસ
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 30,093 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,11,74,322 થયો છે. જ્યારે એક દિવસમાં 45,254 દર્દી રિકવર થયા છે. અત્યાર સુધીમાં 3,03,53,710 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશભરમાં 4,06,130 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે કોરોનાના 38,164 નવા કેસ નોંધાયા હતા. 

Total cases: 3,11,74,322
Active cases: 4,06,130
Total recoveries: 3,03,53,710
Death toll: 4,14,482

Total vaccination: 41,18,46,401 pic.twitter.com/pm5U5yjA4p

— ANI (@ANI) July 20, 2021

મૃત્યુઆંકમાં પણ ઘટાડો
છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કારણે 374 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,14,482 થયો છે. ગઈ કાલે એક દિવસમાં 499 મૃત્યુ નોંધાયા હતા. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 41,18,46,401 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news