J&K માં ભીષણ અકસ્માત, ડોડા પાસે મિની બસ ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો. એક મીની બસ ખાઈમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકોના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

J&K માં ભીષણ અકસ્માત, ડોડા પાસે મિની બસ ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં ગુરુવારે સવારે મોટો અકસ્માત સર્જાયો. એક મીની બસ ખાઈમાં ખાબકી જતા ઓછામાં ઓછા 8 લોકોના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 

મળતી માહિતી મુજબ આ બસ થાથરીથી ડોડા જઈ રહી હતી. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે ડોડાના જિલ્લાધિકારી વિકાસ શર્મા સાથે વાત કરી. ઘાયલોને જીએમસી ડોડામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોડાના એડિશનલ એસપીએ જણાવ્યું કે આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે. બસ થાથરીથી ડોડા જતી હતી ત્યારે ખીણમાં ખાબકી. 

પીએમ નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મોત પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે. 

An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives, the injured would be given Rs. 50,000, PM says.

— ANI (@ANI) October 28, 2021

મૃત્યુઆંક વધી શકે છે
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ડોડા પહોંચતા પહેલા અચાનક બસ બેકાબૂ બનીને ચિનાબ નદી કિનારે ઊંડી ખીણમાં ખાબકી. મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણ કે રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલુ છે. બસનો ઘણો બધો કાટમાળ કાઢવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news