આનંદો! પાનના ગલ્લા ખોલી શકાશે : જાણો લોકડાઉન 4.0માં શું ખુલ્લું રહેશે શું બંધ

સમગ્ર દેશમાં લોકડાઉન 4.0 વધારવામાં આવ્યું છે. આ બાબતે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડ લાઇન્સ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ સ્થાનિક અને વિદેશી ઉડ્યનો પરવાનગી નથી. હોટ સ્પોટ વિસ્તારમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. મેટ્રો પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. આ ઉપરાંત શાળા- કોલેજ બંધ રહેશે. રેસ્ટોરન્ટ્સ, સ્કુલ અને જિમ પણ ખોલી શકાશે. આ ઉપરાંત તમામ ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે. 

આનંદો! પાનના ગલ્લા ખોલી શકાશે : જાણો લોકડાઉન 4.0માં શું ખુલ્લું રહેશે શું બંધ

નવી દિલ્હી : સમગ્ર દેશમાં લોકડાઉન 4.0 વધારવામાં આવ્યું છે. આ બાબતે ગૃહ મંત્રાલય તરફથી ગાઇડ લાઇન્સ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ સ્થાનિક અને વિદેશી ઉડ્યનો પરવાનગી નથી. હોટ સ્પોટ વિસ્તારમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. મેટ્રો પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. આ ઉપરાંત શાળા- કોલેજ બંધ રહેશે. રેસ્ટોરન્ટ્સ, સ્કુલ અને જિમ પણ ખોલી શકાશે. આ ઉપરાંત તમામ ધાર્મિક સ્થળો પણ બંધ રહેશે. 

શાળા અને કોલેજ બંધ રહેશે. નવી ગાઇડ લાઇન અનુસાર રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોન હવે રાજ્ય સરકારો નિશ્ચિત કરશે. તમામ પ્રકારનાં ધાર્મિક સ્થળો અને મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત્ત રહેશે. ઇદ જેવા તહેવારો હોવાનાં છતા લોકોએ ઘરમાં જ રહીને તહેવાર ઉજવવો પડશે. આ ઉપરાંત પાન મસાલાની દુકાનો ખોલવા માટેની પરવાનગી આપી દેવાઇ છે. બીજી તરફ કેબિનેટ સચિવ રાજીવ ગોબા લોકાડઉન 4.0 ગાઇડ લાઇન મુદ્દે આજે રાત્રે 9 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોનાં મુખ્ય સચિવો/ મહાનિર્દેશકો સાથે ચર્ચા કરશે.

અત્રે ઉલ્લેખીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પાન મસાલા અને ગુટખાનાં વેચાણને પરવાનગી આપવામાં આવી ચુકી છે. કેન્દ્ર સરકાર દ્વારા છુટ આપી દેવાઇ છે પરંતુ રાજ્ય સરકાર આ છુટછાટને યથાવત્ત રાખે છે કે કેમ તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખીય છે કે અન્ય રાજ્યોમાં દારૂબંધી હટ્યા બાદ હવે ગુટખા બંધી પણ કેન્દ્ર સરકારે હટાવી દીધી છે. પરંતુ હવે ગુટખા પર પ્રતિબંધ યથાવત્ત રાખવો કે કેમ તે અંગે ગુજરાત સરકાર આખરી નિર્ણય કરશે. જો કે જાહેરમાં થુંકવા પર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન પાનના ગલ્લા ધારકોએ કરવાનું રહેશે. આ ઉપરાંત હેન્ડ સેનિટાઇઝર જેવી સુવિધાઓ પણ ગ્રાહકોને આપવી પડશે.

લોકડાઉન લંબાવાયું આવા રહેશે નિયમો...
- વધારે 14 દિવસ માટે વધાર્યું લોકડાઉન
- ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી
- હોટલ રેસ્ટોરન્ટ સહિતના સ્થળો બંધ રહેશે
- તમામ પ્રકારની શાળા કોલેજો બંધ રાખવા સુચના
- મેટ્રો અને ટ્રેન સહિતની સુવિધાઓ રહેશે બંધ
- તમામ ધાર્મિક સ્થળ બંધ રાખવાનાં રહેશે
- હોટસ્પોટ વિસ્તારમાં કોઇ જ છુટછાટ નહી મળે
- સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્યનો પર પ્રતિબંધ
- સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત્ત
- જ્યાં વધારે લોકો એકત્ર થાય તેવી શક્યતા હોય તેને પ્રતિબંધ
- જો કે કયા વિસ્તારને કયા ઝોનમાં મુંકવા તેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે
- રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલિવરી કરી શકાશે
- મોલ અને મલ્ટિપ્લેક્સ રહેશે બંધ
- સ્ટેડિયમ ખુલશે પરંતુ દર્શકો વગર ખોલી શકાશે
- બસ સેવાને સોશિયલ ડિસ્ટન્સ સાથે છુટ અપાઇ
- મેટ્રો સેવા પર પ્રતિબંધ યથાવત્ત
- જીમ અને સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ બંધ રાખવાની રહેશે
- સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યું યથાવત્ત રહેશે
- કોઇ પ્રકારની પોલિટિકલ અને સોશિયલ મેળાવડાઓ નહી થઇ શકે
- તમામ પ્રકારનાં ધાર્મિક મેળાવડાઓ પર પણ પ્રતિબંધ યથાવત્ત રખાયો
- જીવન જરૂરી વસ્તુઓની ગાડીઓનું આવન જાવન યથાવત્ત રહેશે
- વૃદ્ધ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ બહાર ન નિકળે તે જરૂરી
- 31 મી સુધી જુના નિયમો સાથેનું લોકડાઉન મહદ્દ અંશે યથાવત્ત રહેશે
- રાજ્યો ઇચ્છે તો આંતરિક સમજુતીથી ટ્રાન્સપોર્ટ ચાલુ કરી શકે છે
- રાજ્ય સરકારોને કેન્દ્ર દ્વારા વધારે પાવર આપવામાં આવ્યા
- રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન રાજ્યો અને જિલ્લા તંત્ર નક્કી કરશે
- કોરોના સંક્રમિત વિસ્તારોને 5 ઝોનમાં વહેંચવામાં આવશે
- ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોન ઉપરાંત બફર અને કન્ટેન્મેન્ટ ઝોન પણ રહેશે
- આ તમામ ઝોનનું નિર્ધારણ કરવા માટેની સત્તા રાજ્ય સરકાર પાસે રહેશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news