વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે મહેરમ પ્રથાનો અંત આણ્યો : મુસ્લિમ મહિલાઓને એકલા જવાનો અધિકાર મળ્યો
Trending Photos
નવી દિલ્હી : ત્રિપલ તલાકની વિરુદ્ધ લોકસભામાં બિલ પાસ કરવામાં આવ્યું તેની તુરંત બાદ વડાપ્રધાન મોદીએ હજ યાત્રા મુદ્દે મુસ્લિમ મિલાઓનાં હકમાં અવાજ ઉઠાવ્યો છે. પુરૂષ ભક્ત સિવાય મહિલાની હજ યાત્રા પર જવાની મનાઇ મુદ્દે મોદીએ સવાલ ઉઠાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરાકરે આ ભેદભાવ ખતમ કર્યો છે. મોદીએ કહ્યું કે, હવે પુરૂષો વગર પણ હજ યાત્રા પર જઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી હજનીતિ હેઠળ 45 વર્ષની ઉંમર પાર કરી ચુકેલ ચાર અથવા તેનાંથી વધારે મુસ્લિમ મહિલાઓ મેહરમ વગર એક સાથે હજયાત્રા પર જઇ શકે છે. મેહરમ એટલે કે જેની સાથે મુસ્લિમ મહિલા લગ્ન ન કરી શકે જેમ કે, પિતા, સગો ભાઇ, પુત્ર અને પૌત્ર. અત્યાર સુધી હજ પર જવા માટે મહિલા યાત્રીઓ સાથે મેહરમની જરૂર પડતી હતી. ઘણા ઉલેમા મુસ્લિમ મહિલાઓનાં એકલા હજ પર જવાની શરયતની વિરુદ્ધ ગણાવે છે.
વડાપ્રધાને હાલમાં જ કહ્યું કે, મને જાણવા મળ્યું કે, જો કોઇ મુસ્લિમ મહિલા હજયાત્રા પર જવા માંગતી હોય તો તે કોઇ મર્દ સભ્ય વગર જઇ શકે નહી. અમે આ નિયમ બદલી નાખ્યો અને તેને વર્ષ 1300 મુસ્લિમ મહિલાઓ વગેરે કોઇ પુરૂષ સભ્યનાં હજ યાત્રા પર જવા માટે આવેદન કર્યું. વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકારે હજ યાત્રા દરમિયાન કોઇ મુસ્લિમ મહિલા સાથે પુરૂષ સંબંધ વગર પણ મહિલાને યાત્રા પર જવા માટેની છુટ આપી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે