6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલાઓમાંથી બનશે અયોધ્યામાં રામ-સીતાની મૂર્તિ! નદીની માફી માગવામાં આવી...

વર્ષ 2024 સુધીમાં મંદિર તૈયાર થઈ જશે. મંદિરમાં ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ સ્થાપિત કરવા માટે નેપાળથી બે શાલિગ્રામ શિલાઓ લાવવામાં આવી રહી છે. આ શિલાઓ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લગભગ 60 મિલિયન વર્ષ જૂની છે. 

6 કરોડ વર્ષ જૂની શાલિગ્રામ શિલાઓમાંથી બનશે અયોધ્યામાં રામ-સીતાની મૂર્તિ! નદીની માફી માગવામાં આવી...

Shaligram Stone: અયોધ્યામાં રામ મંદિર  બનીને તૈયાર થઈ રહ્યું છે. એવી આશા છે કે વર્ષ 2024 સુધીમાં મંદિર તૈયાર થઈ જશે. મંદિરમાં ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિઓ સ્થાપિત કરવા માટે નેપાળથી બે શાલિગ્રામ શિલાઓ લાવવામાં આવી રહી છે. આ શિલાઓ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લગભગ 60 મિલિયન વર્ષ જૂની છે. 

No description available.

જો કે આમાંથી બનેલી મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે કે પરિસરમાં, તે અંગે હજુ પુષ્ટિ થઈ નથી. આ અંગે અંતિમ નિર્ણય રામ મંદિર ટ્રસ્ટ જ લેશે. નેપાળના પોખરામાં વહેતી કાલી ગંડકી જેને શાલિગ્રામી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, અહીંથી બે પથ્થર લાવવામાં આવી રહ્યા છે. અહીં પૂજા કર્યા બાદ પથ્થરોને ટ્રકમાં ભરીને રોડ માર્ગે અયોધ્યા લાવવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, એક શિલાનું વજન 26 ટન અને બીજા ખડકનું વજન 14 ટન છે.

No description available.

નદીની માફી માંગવામાં આવી...
નદી કિનારેથી આ શિલાઓને હટાવતા પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. નદી પાસે માફી માંગવામાં આવી, તેના માટે વિશેષ પૂજા કરવામાં આવી. ગલેશ્વર મહાદેવ મંદિરમાં શિલાનો રૂદ્રાભિષેક કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નેપાળમાં વહેતી શાલિગ્રામી નદી ભારતમાં પ્રવેશ્યા પછી નારાયણી નદી કહેવાય છે. જ્યારે ભારતમાં તેને સરકારી કાગળોમાં બુઢી ગંડકી તરીકે ઓળખવામાં આવે છે.

No description available.

શાલિગ્રામી નદીના કાળા પથ્થરોની ભગવાન શાલિગ્રામના રૂપમાં પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં શાલિગ્રામનો પથ્થર માત્ર શાલીગ્રામી નદીમાં જ જોવા મળે છે. તે બિહારના સોનેપુરમાં ગંગા નદીમાં આવીને ભળી જાય છે. લગભગ 100 લોકોનું ટોળું બંને ખડકો સાથે જઈ રહ્યું છે. તેમના માટે અલગ-અલગ જગ્યાએ આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

No description available.

દાવો- બંને ખડકો 6 કરોડ વર્ષ જૂના છે..
રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે, "હમણાં અમને જ શિલાઓને અયોધ્યા લાવવા માટે કહેવામાં આવ્યું છે. શિલાઓ અયોધ્યા પહોંચ્યા પછી ટ્રસ્ટ તેનું કામ કરશે. આ શિલાઓ 2 ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચી શકે છે. શાલિગ્રામી નદીમાંથી બહાર કાઢવામાં આવેલ આ બંને શિલાઓ લગભગ 6 કરોડ વર્ષ જૂના હોવાનું કહેવાય છે.

No description available.

નેપાળની શાલિગ્રામી નદી ભારતમાં પ્રવેશતાની સાથે જ નારાયણી બની જાય છે. સત્તાવાર કાગળોમાં તેનું નામ બુધી ગંડકી નદી છે. શાલિગ્રામી નદીના કાળા પથ્થરોને ભગવાન શાલિગ્રામ તરીકે પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે શાલિગ્રામ પથ્થર શાલિગ્રામી નદીમાં જ જોવા મળે છે. આ નદી દામોદર કુંડમાંથી નીકળે છે અને બિહારના સોનેપુર ખાતે ગંગા નદીમાં જોડાય છે.

No description available.

નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાન, જનકપુરના મહંત પણ આવી રહ્યા છે...
શિલા યાત્રા સાથે લગભગ 100 લોકો ચાલી રહ્યા છે. વિશ્રામ સ્થળોએ તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. VHPના કેન્દ્રીય ઉપાધ્યક્ષ જીવેશ્વર મિશ્રા, રાજેન્દ્ર સિંહ પંકજ, નેપાળના પૂર્વ નાયબ વડાપ્રધાન કમલેન્દ્ર નિધિ, જનકપુરના મહંત પણ આ યાત્રામાં સામેલ છે. તેઓ અયોધ્યા સુધી આવશે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલ પણ યાત્રામાં સાથે છે.

No description available.

જણાવવામાં આવી રહ્યું છે કે બે મહિના પહેલા કારસેવક પુરમમાં રૂદ્રાભિષેક કરવા આવેલા નેપાળના સીતામઢીના મહંત આવ્યા હતા. તેમણે જ ટ્રસ્ટને શાલીગ્રામ શિલાઓ વિશે જાણ કરી હતી. ત્યારબાદ, આ શિલાઓને નદીમાંથી બહાર કાઢીને અયોધ્યા લાવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. નેપાળ સરકારે પણ આમાં ભાગ લીધો હતો. સરકારની પરવાનગી બાદ જ નદીમાંથી શિલાઓ કાઢવામાં આવી રહી છે.

No description available.

31 જાન્યુઆરીએ યુપીમાં થશે એન્ટ્રી
આ શિલાઓ શનિવારે જનકપુર પહોંચી રહી છે. ત્યાં બે દિવસીય અનુષ્ઠાન થશે. ત્યારબાદ, શિલાઓ બિહારના મધુબનીમાં સહરઘાટ, બેનીપટ્ટી થઈને દરભંગા, મુઝફ્ફરપુર પહોંચશે. પછી 31 જાન્યુઆરીએ તે ગોપાલગંજ થઈને યુપીમાં પ્રવેશ કરશે. બિહારમાં 51 સ્થળોએ શિલાની પૂજા કરવામાં આવશે.

नेपाल की शालिग्राम शिला से बनेगी राम-सीता की मूर्ति; नदी से निकालकर अयोध्या  लाई जा रहीं 40 टन वजनी दो शिलाएं | Chhattisgarh Crimes | News | Local news

શાલિગ્રામી શિલાથી બનેલું રામજન્મભૂમિનું જૂનું મંદિર
પુરાતત્વવિદ્ અને અયોધ્યા પર અનેક પુસ્તકોના લેખક ડૉ. દેશરાજ ઉપાધ્યાયે કહ્યું, "નેપાળની શાલિગ્રામી નદીમાં એક ખાસ પ્રકારનો કાળો પથ્થર જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓમાં આને ભગવાન શાલિગ્રામનું સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રાચીનકાળની મૂર્તિકલામાં આ પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

रामलला की प्रतिमा के शालीग्राम पत्थर की तलाश पूरी, शुरू होगा निर्माण...राम  मंदिर निर्माण पर ये बड़ी खबर - ayodhya ram mandir shaligram found for idol  of ramlala stone ...

તેઓ જણાવે છે કે, "શાલિગ્રામી પથ્થરો ખૂબ જ મજબૂત હોય છે. તેથી શિલ્પકાર નાનામાં નાની આકૃતિ તેના પર ઉપસાવે છે. અયોધ્યામાં ભગવાન રામની સાંવલી મૂર્તિ આ પ્રકારના શિલા પર બનાવવામાં આવી છે. રામજન્મભૂમિના જૂના મંદિરમાં કસૌટીના ઘણા સ્તંભો આ જ શિલાઓમાંથી બનેલા છે.

राम मंदिर: इस शिला से अयोध्या में बनेगी रामलला की मूर्ति! - Ayodhya ramlala  idol to be made of special shaligram stone found in nepal gandaki river lbsv

કરોડો વર્ષ પહેલા બની છે નદીઓ, તેના નીચે દબાયેલી શિલાઓ તેનાથી પણ જૂની
શું આ શિલાઓ કરોડો વર્ષ જૂની છે? આ પ્રશ્નના જવાબમાં ડૉ. દેશરાજ જણાવે છે કે, "કરોડો વર્ષોના ફેરફાર એટલે કે હવામાનમાં થતા ફેરફારોને કારણે ઘાટી ભરાતા ભરાતા મેદાનનું સ્વરૂપ ધારણ કરે છે. આ કડીમાં ઘણી નદીઓ અને સરોવરોનું નિર્માણ થયું. આમાં ગંગા, યમુના, સરયુ, ગંડક જેવી અનેક નદીઓ બની છે. તેમાં ગંડકની એક સહાયક નદી કાલી ગંડકી નદી છે, જે નેપાળમાં વહે છે. ત્યાં તેણે શાલિગ્રામી નદી તરીકે ઓળખાય છે. આ શાલિગ્રામ નદીમાંથી આ શિલાઓ કાઢવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news